Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 29
________________ ત્યાં તો વિઠ્ઠલભાઈ મોટે સાદે, વલ્લભભાઈ પાયખાનાની અંદરથી સાંભળી શકે એ સારુ, પેલા મિત્રોને કહેવા લાગ્યા : ‘જોયા તમારા સૂબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવા નીકળી પડ્યા છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !' પછી અર્ધાએક કલાકે વિઠ્ઠલભાઈ હળવેથી સાંકળ ખોલી આવ્યા. સરદાર પાયખાનામાંથી બહાર નીકળ્યા અને જાણે કશું બન્યું જ ન હોય એમ પોતાના કામમાં લાગી ગયા ! ૧૨ સણસણતો જવાબ - '૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની ચળવળ જાહેર કરી હતી. - પંજાબમાં થયેલા અત્યાચારો પછી ગાંધીજીને લાગ્યું કે, આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાયો થતા અટકવાનું શક્ય નથી. એટલે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. ગાંધીજીએ પોતાને મળેલા બધા સરકારી ચાંદો – બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ – ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66