Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 27
________________ ગંભીર થઈ ગયા અને ‘આપણી આબરૂ શું કામ જાય ? એવાં કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વૉરંટ શેનાં નીકળે ? મારાથી થઈ શકે -તે બધું કરીશ.' એમ કહીને વલ્લભભાઈ જરા નમ્રતાથી પિતાશ્રીને ધીમેથી કહેવા લાગ્યા : ‘મોટાકાકા, તમે હવે છોડો આ બધા સાધુઓને ! જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચડે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શકતા નથી તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા ? આપણો શો ઉદ્ધાર કરવાના હતા ?’ ઝવેરબાપાને આવી વાત ક્યાંથી ગમે ? તેઓ કહે : ‘ભાઈ, એ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે, મહારાજ ઉપર વૉરંટ નીકળ્યું હોય, તો એ રદ થવું જ જોઈએ.’ એમ કહીને પિતાશ્રી ઑફિસમાંથી ચાલ્યા ગયા. વલ્લભભાઈ આમ તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં જ ઊછરેલા હતા. છતાં એમણે એ સંપ્રદાય તરફ ખાસ શ્રદ્ધા સેવી નથી. ... આ ઝઘડામાં પણ વચ્ચે પડવાની તેમની ઇચ્છા લગારે નહોતી. છતાં વૃદ્ધ પિતાશ્રીના આગ્રહને લીધે વલ્લભભાઈએ એ કેસ હાથમાં લીધો અને કેસની માંડવાળ કરાવી બેઉ પક્ષના તહોમતદારોને છોડાવ્યા. Jain Education International ૨૬ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66