Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 63
________________ પોતાનું શી રીતે રક્ષણ કરવું તેનો પદાર્થપાઠ પણ લોકો શીખ્યા. સરદાર સાહેબ પણ પોતાના સાથીઓ અને સ્વયંસેવકોની મદદથી પ્લેગ જેવા મહા ઉપદ્રવનો નાશ થયેલો જોઈને રાજી થઈ ગયા. તેઓ પોતાના સાથીઓને ગર્વભેર કહેવા લાગ્યા : ‘જોયુંને, મૃત્યુ જેવા પ્લેગને આપણા પુરુષાર્થથી ભાગવું પડ્યું! તો પછી અંગ્રેજ સરકારનું શું ગજું? એને પણ એ જ રીતે દેશમાંથી ભાગવું પડવાનું છે !' , - ૨૮ ગરીબ માણસની દીકરી' સરદાર સ્વતંત્ર ભારતના નાયબ વડા પ્રધાન હતા. તેમના હાથમાં ગૃહખાતું હતું. એક વાર આપણા એક દેશસેવક મહાવીર ત્યાગીજીએ મણિબહેનને થીગડાં મારેલી સાડી પહેરેલી જોઈને ગમ્મત કરતાં કહ્યું: ‘મણિબહેન, તમે તો પોતાને મોટાં ગણો છો. જેમણે એક વરસમાં એવડું મોટું અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું છે કે એવડું રાજ્ય તો નહોતું રામચંદ્રજીનું કે નહોતું શ્રીકૃષ્ણનું; રાજા અશોકનુંયે નહીં કે અકબરનુંયે નહીં ને અંગ્રેજોનુંયે નહીં! આવા મોટા રાજામહારાજાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66