Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 47
________________ તમે ઑફિસમાં કાગળો લખો છો, તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. ઑફિસમાં કોઈની સાથે આપણી જબાનથી કે કલમથી વિરોધ થાય અંગર કોઈને દુ:ખ લાગે એ સારું ન જ ગણાય. એથી ભવિષ્યની ઉન્નતિમાં વાંધો આવે, એટલું જ નહીં. પણ એથી તો આપણી આબરૂ બગડે. વખતે આપણા મોઢે કોઈ ન કહે, પણ તેથી શું? ખરું જોતાં આપણાથી નાના માણસો હોય તેની સાથે મીઠાશથી કામ લેવું જોઈએ. આપણા સાથીઓ અને ઉપરીઓની સાથે પાગ યોગ્ય મર્યાદામાં રહી યોગ્ય વર્તન રાખવું જોઈએ. ‘તમારા ઘરમાલિકે ઘર ખાલી કરાવવા તમારી ઉપર દાવો કર્યો એ આપાગને ન શોભ. તમારો સ્વભાવ એવો નથી, છતાં આમ કેમ થવા પામે છે એ મારી સમજમાં નથી આવતું. મેં તો કોઈ વખત તમને કહ્યું નથી. હું તો માનતો જ હતો કે, તમ સીનો પ્રેમ સંપાદન કર્યો છે, તેથી હું બહુ રાજી થતો હતો. આ વાતો સાંભળી મને જરી નવાઈ લાગી, એટલે તમે મંદવાડમાંથી હજી ઊઠ્યા નથી છતાં લખું છું. કારણ જો તમારી શાખ આવી પડી જાય, તો આપણી આબરૂને નુકસાન લાગે અને પસ્તાવું પડે. કોઈની સાથે બોલી બગાડવામાં ફાયદો ન હોય. આપણે કરવું હોય તે કરીએ. પણ આપણી સ્વતંત્રતાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66