SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તો વિઠ્ઠલભાઈ મોટે સાદે, વલ્લભભાઈ પાયખાનાની અંદરથી સાંભળી શકે એ સારુ, પેલા મિત્રોને કહેવા લાગ્યા : ‘જોયા તમારા સૂબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવા નીકળી પડ્યા છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !' પછી અર્ધાએક કલાકે વિઠ્ઠલભાઈ હળવેથી સાંકળ ખોલી આવ્યા. સરદાર પાયખાનામાંથી બહાર નીકળ્યા અને જાણે કશું બન્યું જ ન હોય એમ પોતાના કામમાં લાગી ગયા ! ૧૨ સણસણતો જવાબ - '૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની ચળવળ જાહેર કરી હતી. - પંજાબમાં થયેલા અત્યાચારો પછી ગાંધીજીને લાગ્યું કે, આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાયો થતા અટકવાનું શક્ય નથી. એટલે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. ગાંધીજીએ પોતાને મળેલા બધા સરકારી ચાંદો – બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ – ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy