________________
એપૂવર નીમવામાં આવ્યો, તેથી ખોટા દસ્તાવેજ બનાવવાના આરોપના ખોટાખરા સંખ્યાબંધ કેસો ઊભા થયા. એ બધા કેસો ચલાવવા સરકારે એક ખાસ વકીલ નીમ્યો.
આમાંના ઘણા કેસોમાં આરોપી તરફથી પોતાના બચાવ માટે સરદારને રોકવામાં આવતા.
એવા એક કેસમાં એક સાક્ષીની સરદારે ઊલટતપાસ કરવા માંડી.
સરદારે સાક્ષીને પૂછ્યું : ‘તમે શરાફ છો ?' પેલાએ કંઈ જવાબ ન આપ્યો. સરદારે ફરી પૂછ્યું : ‘તમે શરાફ છો ?' જવાબ ન મળ્યો. એટલે સરદારે ત્રીજી વાર પૂછ્યું : ‘તમે શરાફ છો ?' પેલો કંઈ બોલ્યો નહીં, એટલે સરદારે સપાટો ચલાવ્યો : “જે હો તે કહી દો ને ? હું તો તમને ઓળખું છું કે, “સત્તર પંચાં પંચાણું, તેમાંથી પાંચ મૂક્યા છૂટના, લાવ નેવું', એ ધંધો કરનારા તમે છો. પણ અહીં લાલચટક પાઘડી અને કડકડતું અંગરખું અને ખેસ નાખીને આવ્યા છો, એટલે મેં જાણ્યું કે શરાફી પેઢી કાઢી હશે.”
પેલો સાક્ષી ધીરધારનો ધંધો કરતો, પણ શરાફ કહી શકાય એવી તેની પેઢી નહોતી. તેના ઉપર એકાએક થયેલા
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org