SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખથી ગભરાય એ બીજા! તમે તમારે ઉપાય તો બતાવો. અજમાવી જોવામાં શું ખાટુંમોળું થવાનું છે?' પેલા ભાઈએ કહ્યું : ગામમાં વાળંદ રહે છે. તે નર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં હોશિયાર છે. તેને બોલાવી જુઓ.’ સરદારશ્રીએ તરત જ વાળંદને બોલાવ્યો. * વાળંદે કાખબિલાડી તપાસી જોઈ. તેણે કહ્યું : આને ફોડવી પડશે. એ માટે સળિયો તપાવીને એને લગાડવો પડશે. પછી અંદરનું બધું પરુ કાઢી નાખવું પડશે.' તમે કહેતા હો તો કરું.” સરદારે કહ્યું: “ભલે, ભલે, કરો ઉપાય.’ . એટલે વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કર્યો અને કાખબિલાડીને લગાડ્યો. કાખબિલાડી ફૂટી ખરી પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી! આ જોઈને સરદાર બોલી ઊઠ્યા : ‘અલ્યા, આમ જોયા શું કરે છે? લાવ, તારાથી ન થતું હોય, તો હું કરું.’ એમ કહી સરદારશ્રીએ વાળંદના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો. પછી પોતે જ એ સળિયાને અંદર ખોસી દીધો અને કાખબિલાડીની અંદર ચારે બાજુ ફેરવીને બધું પરુ કાઢી નાખ્યું ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy