SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સરદારશ્રી વકીલ થયા. પછી તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી. તેમનાં ધર્મપત્ની ઝવેરબા સાથે તેઓ ગોધરા ગયા. ઘર નવેસરથી શરૂ કરવાનું હતું. સરદાર પાસે કાંઈ જ સાધન ન હતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે એ સારુ તેઓ નડિયાદની ગુજરીમાં ગયા અને ત્યાંથી એ બધું વેચાતું લીધું. તે વખતે સરદાર પાસે પૈસા પણ ન હતા. એટલે તેમણે એટલા પૈસાનું દેવું કર્યું હતું. ગોધરામાં ઘર અને વકીલાત હજી શરૂ કરતા હતા, ત્યાં તો ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો! ઘેર ઘેર પ્લેગના કેસ બનવા લાગ્યા. ૩ પ્લેગ સામે બાથ ગોધરાની કોરટના નાજર સરદારશ્રીના સ્નેહી થતા હતા. તેમનો દીકરો પ્લેગમાં સપડાયો ! સરદારને આ વાતની ખબર પડી. એટલે તેઓ તરત જ નાજરને ઘેર દોડી ગયા. ત્યાં જઈને સરદાર દરદીની સેવામાં લાગી ગયા. દરદીને બચાવી લેવાના બધા ઉપાયો અજમાવી જોયા. પરંતુ. દરદી બચ્યો નહીં ! સ.પૂ.પ્ર.૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy