Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

Previous | Next

Page 8
________________ કોઈ એને કાઢતું નહોતું ! એટલે બધાંનું દુ:ખ ઊભું ને ઊભું રહેતું. ‘ગઈ કાલનો મેં નિશ્ચય કર્યો હતો કે, આજે તો તેને કાઢી જ નાખવો. એટલે એને કાઢી નાખવાના કામે રોકાયો હતો. એને કાઢીને દૂર ફગાવી દીધો !' ‘દુ:ખથી ગભરાય એ બીજા !’ સરદારશ્રી મૅટ્રિક થયા પછી વકીલ થવા માગતા હતા. એ માટે તેઓ ઘેર રહીને ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર'ની પરીક્ષાનો અભ્યાસ કરતા હતા. આ અભ્યાસ દરમિયાન સરદારશ્રી તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બે મહિના બાકરોલ ગયા હતા. એવામાં સરદારને કાબિલાડી થઈ. બાકરોલ જેવા નાનકડા ગામમાં બીજા ઉપાયો તો શેના જડે ? ગામના એક ભાઈએ સરદારને કહ્યું : ‘વલ્લભભાઈ, કાબિલાડી માટે એક અકસીર દેશી ઉપાય છે ખરો. પણ દુ:ખ સહન કરવાની તમારી તૈયારી હોય, તો એ ઉપાય અજમાવી શકાય. કાચાપોચાનું એમાં કામ નહીં. બોલો, છો તૈયાર ?' સરદારશ્રીએ તરત જ કહ્યું : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66