________________
589 – ૨: કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા 42 - અવગાઢ જોઈએ. શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગદર્શનરૂપ પીઠ દૃઢ ત્યારે જ બને કે, જ્યારે શંકાદિ દોષોરૂપ પોલાણથી રહિત હોય. શંકાદિ દોષો એ વિવર છે, એ જો પીઠમાં થાય તો કુમતની વાસનારૂપ જળ તેમાં પ્રવેશે. તેમ થાય તો અવશ્ય શ્રીસંઘરૂપ સુરગિરિ દઢ ન રહી શકે. પીઠમાં વિવર જેવા દોષો પાંચ છે.
પાંચ દોષો પૈકીનો પ્રથમ “શંકા” દોષ જેમ શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગુદર્શનરૂપ સર્વશ્રેષ્ઠ વજરત્નમયી પીઠને પોલી કરનારો છે; તેમ કાંક્ષાદિ ચાર દોષો પણ એ પીઠમાં અવશ્ય પોલાણ કરનારા જ છે. પાંચ દોષોમાં “શંકા” દોષ પહેલો છે અને “કાંક્ષા' દોષ બીજો છે. “શંકા દોષ ઉપર આપણે વિચાર કરી આવ્યા. હવે આપણે બીજો દોષ જે કાંક્ષા છે, તેના ઉપર વિચાર કરીએ.
બીજા “કાંક્ષા' નામના દોષનું સ્વરૂપ અને પરિણામ સમજાવતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
કાંક્ષા' એટલે અન્ય અન્ય દર્શનોનો ગ્રહ, તે કાંક્ષા પણ બે પ્રકારની છે. એક “સર્વવિષય' અને બીજી “તેશવિષય.' સર્વવિષયા એટલે સઘળાય પાખંડીઓના ધર્મને ઇચ્છવારૂપ અને રેશવિષય એટલે એકાદિ દર્શનને વિષય કરનારી જેમ કે, સુગતે સ્નાન, અન્ન, પાન આચ્છાદન અને શયન આદિના સુખનો અનુભવ કરવા દ્વારા અફ્લેશકારી ધર્મ ભિક્ષુઓ માટે ઉપદેશ્યો છે. કહ્યું
કોમળ શય્યામાં શયન કરવું. પ્રાતઃકાલમાં ઊઠીને પીવા લાયક વસ્તુનું , પાન કરવું, મધ્યાહુન કાળે ભોજન કરવું. અપરાહ્ન સમયે પણ પીવા લાયક વસ્તુનું પાન કરવું અને અડધી રાતે દ્રાક્ષાખંડ અને શર્કરાનો ઉપયોગ કરવો.” આટલું કરવા છતાં પણ શાક્યસિંહે અંતે મોક્ષ જોયો છે અર્થાત્ મોક્ષ માટે તપ આદિની આવશ્યકતા નથી. આ પ્રમાણે બૌદ્ધ શાસન કહે છે; એ પણ અઘટિત નથી, કિંતુ ઘટિત જ છે તથા પરિવ્રાજકો, ભૌતો અને બ્રાહ્મણો વિષયોનો ઉપભોગ કરતા જ પરલોકમાં પણ સુખની સાથે યોજાય છે અર્થાત્ સુખના ભોક્તા બને છે એ કારણે એ ધર્મ પણ ઘણો સારો છે.
१. कांक्षा अन्यान्यदर्शनग्रह सापि सर्वविषया देशविषया च । सर्वविषया सर्वपाखण्डि
धर्माकांक्षारूपा । देशकांक्षा त्वेकादिदर्शनविषया । यथा सुगतेन भिक्षुणामक्लेशको धर्म
उपदिष्टः स्नानानपानाच्छादनशयनीयादिषु सुखानुभवरूपेण यदाह - ૨. “મૃET શાળા પ્રતિસ્થા જેવા, મળે મવત્તિ પાન વાપરા
द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ।।१।।"