________________
૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઈચ્છા વીરસં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ વદ-૧૧.શનિવાર, તા. ૨૫-૧-૧૯૩૦
42
• બીજો દોષ કાંક્ષા : • અનુકૂળતાની ભૂખમાંથી કાંક્ષાનો જન્મ !
સ્વાર્થ માટે ધર્મને નબળો પાડવાની વૃત્તિ ! ચાર આશ્રમ અને જૈનદર્શન : • શું “ગૃહસ્થાશ્રમ' એ ધર્મ છે ?
સાચી ચિકિત્સા : • સુખ ક્યાં છે ? • ખરેખર દુઃખ શામાં છે?
બીજો દોષ કાંક્ષાઃ
સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની વિવિધ પ્રકારે સ્તવના કરતાં, શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓથી સ્તવ્યા બાદ શ્રી સુરગિરિની ઉપમાથી શ્રીસંઘને સ્તવી રહ્યા છે. શ્રીસંઘની સરખામણી સુરગિરિની સાથે કરતાં અગિયાર વિશેષણો વાપર્યા છે, તેમાંના પ્રથમ વિશેષણ દ્વારા સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા કે -
"તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન તે જ મોક્ષનું પ્રથમ અંગ હોવાથી સારભૂત છે એટલે કે સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજથી બનેલ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠવાળા શ્રીસંઘરૂપ મહામંદરગિરિને અથવા એવા શ્રીસંઘરૂપ મહામંદરગિરિના માહાભ્યને વિનયથી ઝૂકી પડેલો હું વંદન કરું છું.
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે, સુરગિરિનો આધાર જેમ પીઠ ઉપર છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરિનો આધાર પણ સમ્યગુદર્શનરૂપ પીઠ ઉપર છે. જેમ શ્રીમેરૂ પર્વતની વજૂમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રીસંઘરૂપસુરગિરિની સમ્યગદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને
૧. “સમેહંસUવિરવર-દઢઢઢાવIઢપેઢમ્ |
वंदामि विणयपणओ, संघमहामंदरगिरिस्स ।।"