________________
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
586 "તે કારણથી તે આચાર્યદેવ ! ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગમાં શંકારૂપ કાદવના અનુપથી આપે કોઈ પણ દિવસે સમ્યગુદર્શનની મલિનતા કરવી એ યોગ્ય નથી.
“હે આચાર્યદેવ ! “શ્રી જિનેશ્વરદેવોએ જે જે ફરમાવ્યું છે, તે તે તે પ્રમાણે જ છે' એ પ્રમાણે આપે આપના હૃદયમાં ધારવું કે, જેથી નિર્વાણરમામોક્ષલક્ષ્મી આપને વરે; અર્થાત્ હે નાથ ! મુક્તિરમાને વરવા માટે એક સમ્યગદર્શન જ પરમ કારણ છે, અને એ સમ્યગ્દર્શન, પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવના કથનને સર્વાશે સત્ય માનવામાં જ છે; માટે કોઈ પણ કારણ પામીને, કોઈ પણ કાળે, આપે શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા માર્ગમાં શંકા કરી તે સમ્યગદર્શન જેવા અનુપમ રત્નને જરા પણ મલિન થવા દેવું નહિ.” પ્રયત્નની સફળતાઃ
આ પ્રમાણેના અનેક ઉપાયો દ્વારા, પ્રમાદમાં પડી ગયેલા પોતાના પરમગુરુ : શ્રી આચાર્ય મહારાજાને પ્રતિબોધ પમાડીને, દૈવતા પોતાને સ્થાને ચાલ્યો ગયો અને તે સૂરિપુંગવ પણ પ્રતિબોધ પામીને તરત જ પાછા ફર્યા અને ફરીને ગચ્છનો આશ્રય કરીને તથા દીક્ષાની સારામાં સારી રીતની આરાધના કરી કૃતકૃત્ય થઈ ગયા, એટલે પોતાનું આત્મશ્રેય સાધી ગયા. કથાનકનો ઉપસંહાર:
પ્રભુવચનમાં કારણવશ થઈ જતા શંકા દોષથી ભવ્ય આત્માઓને બચાવી લેવા માટે આ “શ્રી આર્ય આષાઢાભૂતિ' નામના આચાર્યદેવની કથાનો ઉપસંહાર કરતાં ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે –
શ્રમણગણાધિપતિ “આર્ય આષાઢાભૂતિનાં પુષ્ટિકર અમૃતરૂપ ઔષધના દ્રવ્ય જેવું, સુંદર અને આશ્ચર્યકારી ચરિત્રનું નિશ્ચયપૂર્વક શ્રોત્રરૂપ પાત્રો દ્વારા પાન કરીને; હે સંસારવર્તી પ્રાણીઓ ! તમે “શંકા'રૂપ દોષનો
१. तस्मात्त्वयाऽऽर्हते मार्गे, शङ्कापङ्कानुलेपनात् ।
सम्यग्दर्शनमालिन्यं, न विधेयं कदापि हि ।।४।। ૨, યમ્બિનેશ્વરે: પ્રવક્ત, તત્તથતિ ચેસિ |
धार्यमाचार्य ! निर्वाण-रमा त्वां वृणुते यथा ।।५।। 3. "इत्यार्याषाढभूतेः श्रमणगणपतेश्चारु चित्रं चरित्रं,
पुष्यत्पीयूषयूषद्रवमिव नियतं श्रोत्रपात्रेनिपीय । शङ्कादोषापहारात्तनुत भवभृतोऽर्हन्मते सन्मतिं भो! એન ત્રહોવિયત્રશ્ન: શ્રતિ તિ વ: સર્વલાડડનન્દલાત્રી
દા”