________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૫
એવા પણ આપ આવી રીતે ચારિત્રનો ત્યાગ કરનારા કેમ થયા ? એ આપ
ફરમાવો.”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૂરિ-મહારાજા પણ સ્પષ્ટપણે બોલ્યા કે -
“જે કારણથી તું પ્રીતિમાન છતાં, ભક્ત છતાં અને પ્રતિજ્ઞા કરનાર છતાં પણ ન આવ્યો, તે કારણથી મને સંયમ-સંબંધી વિધિમાં ભ્રમણા ઉત્પન્ન થઈ ગઈ; અર્થાત્ પ્રીતિવાળો, ભક્ત અને પ્રતિજ્ઞા કરનારો પણ તું ન આવ્યો. એથી મને એમ થયું કે, ‘આ સંયમના પ્રતાપે દેવગતિ આદિ મળે છે એ વગેરે વાતો બનાવટી છે; એટલે પરલોક આદિની વાતો ફોગટ છે, અને એ ફોગટ છે એટલે આ સંયમ આદિનું કષ્ટ પણ ફોગટ છે.' એ જ કારણે આવા પ્રકારની પતિત અવસ્થા મારી થઈ, બીજું કશું જ કારણ નથી.”
585
તે ધર્મની શંકાના નાશ માટે ક્ષુલ્લક, પોતાનું દેવરૂપ દર્શાવીને પોતાના પરમ ઉપકારી સૂરિ-મહારાજા પ્રત્યે બોલ્યો કે -
“દેવતાઓ નિરંતર અભંગુર મહાભોગોના ભોગમાં અતિશય રક્ત હોય છે, આથી કારણ વિના તેઓ અતિશય દુર્ગંધથી વ્યાપ્ત એવી આ પૃથ્વી ઉપર આવતા નથી.
વળી, મેં નીર્મેલા નાટકને જોતાં અને તે જોવામાં રસિક બની ગયેલા આપે છ માસ પર્યંત તૃષ્ણા અને ક્ષુધા વગેરે ન જાણ્યું.
*આથી હે વિભો ! આપ વિચારો કે, ‘આ દિવ્ય વિષયગ્રામ અને સંગીત આદિ અતિશય દુસ્યજ છે, તો પછી એ સઘળું છોડીને દેવતાઓ અહીં શી રીતે · આવે ?’ અર્થાત્ આપ પણ સમજી શકશો કે, દુઃખે કરીને તજી શકાય એવા દિવ્ય વિષયગ્રામને અને સંગીત આદિને તજી અહીં આવવું, એ દેવતાઓ માટે ઘણું જ મુશ્કેલ છે.
૧. “સોપ્યૂર્વે પ્રીતિમાનું મવત્ત:, નૃતસયોપિ નાત:। યત્ત્વે તેન મમ પ્રાન્તિ:, સંનને સાંયને વિધો ।।।"
૨. “મન્નુરમહામોળ-નિરતા: સતતં સુરાઃ ।
नैवायान्ति विना हेतुं, सुदुर्गन्धाविलामिलाम् ॥२॥" 3. " षषण्मासीं प्रेक्षमाणेन, प्रेक्षणं निर्मितं मया ।
વિવિષે ન ત્વયા તૃષ્ણા-ક્ષુવાવિ રસિદ્યાત્મના ।।રૂ।। ४. “ दिव्योऽयं विषयग्रामः, सङ्गीतादिः सुदुस्त्यजः । વિદાય ત્રિશેત્ર, થમાળમ્યતે વિમો ! ।।૪।