________________
583
--- ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! -41
–
૧૩
પુત્રોએ તે મુનિવર પાસે શ્રાવકવ્રતોનો સ્વીકાર કર્યો અને બોકડો પણ અનશનથી મરીને સ્વર્ગે ગયો.
આ પ્રમાણેની વાતો કરીને તે “ત્રસકાય” નામના બાળકે તે આચાર્ય પ્રત્યે કહ્યું કે –
જે રીતે પેલા ચંડાળો વગેરેને શરણથી ભય થયો, તે જ રીતે આપના શરણે આવેલા મારા અલંકારોને લૂંટવાને આપ તૈયાર થયા છો, એટલે મારે માટે પણ શરણથી જ ભય ઉત્પન્ન થયો છે !
આ જાતના હૃદયદ્રાવક કથનથી પણ આચાર્યનું હૃદય જરા પણ દ્રવિત ન થતાં ઊલટું વધુ ક્રૂર બન્યું અને એ ક્રૂરતાના યોગે શ્રદ્ધાભ્રષ્ટ બનેલા તે આચાર્ય એકદમ તે બાળકને કહે છે કે
અરે બચ્ચા ! તારું પાંડિત્ય અપૂર્વ છે !” આ પ્રમાણે કહી પૂર્વની જેમ તેને મારીને તેના પણ અલંકારોને પડાવી લઈને, તે આચાર્યો તે અલંકારોને પોતાના પાત્રમાં નાંખ્યા.
ભાગ્યવાનો! વિચારો કે, એક શ્રદ્ધાભ્રષ્ટ થયેલા ઉત્તમ આત્માની પણ કેવી ભયંકર દશા થાય છે ! ષયના રક્ષક આચાર્યને પ્રતિબોધ કરવા માટે દેવે છએ કાયના નામને ધરાવનારા બાળકો બનાવીને બતાવ્યાં, છતાં પણ પોતાના સ્વરૂપમાં ન આવતાં ઊલટા રક્ષક મટીને ભક્ષક બન્યા ! ખરેખર, શ્રદ્ધાભ્રષ્ટ બનેલા આત્માની દશા ઘણી જ ભયંકર થાય છે ! : આટલા આટલા ઉપાયો કરવા છતાં પણ આચાર્ય પ્રતિબોધ ન પામ્યા,
ત્યારે દેવે અલંકારો પાત્રમાં ભરીને ચાલ્યા જતા આચાર્યની સામે માર્ગમાં એક સાધ્વીનો મેળ કરાવ્યો. એ સાધ્વીએ પોતાની આંખો અંજનથી આંજી હતી અને -કંકણાદિ ભૂષણો પહેર્યા હતાં. તે સાધ્વીને જોઈને દુષ્ટ બુદ્ધિને ધરનારા તે આચાર્યે પોતાની ઉત્તમતા દર્શાવવા અને પોતાનું પાપ ન પકડાઈ જાય, એ આશયથી તે સાધ્વી પ્રત્યે કહ્યું કે –
હે શાસનનો ઉહ કરનારી ! કુંડલો, હાર, કડાં અને મુદ્રિકાઓને ધારણ કરતી તું મારા દૃષ્ટિપથથી દૂર જા.” ૧. “અપૂર્વ તવ પત્રક !િ ” ૨. “સપના , હા, ટો મુદ્રિવાસ્તથા
દૃશ્યથા વ્રન રે તૂરું, શાસનgહિરિ "