________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૧
મને પણ શરણરૂપ આપના તરફથી આ પ્રકારનો ભયંકર ભય ઉત્પન્ન થયો.’ આ પ્રમાણે કહેવા છતાં પણ એ આચાર્ય ન કંપ્યા, પણ ઊલટા વધુ ક્રૂર બનીને તે બાળકનાય ગળાનો છેદ કરીને તેના પણ અલંકારો લઈ લીધા અને
આગળ વધ્યા.
માર્ગમાં આગળ વધતાં તે આચાર્યને એક છઠ્ઠું બાળક મળ્યું. તે બાળક પણ અલંકારોથી અલંકૃત હતું અને તેનું નામ ‘ત્રસકાય' હતું. તે બાળકના અલંકારોને પણ લઈ લેવાની ભાવનાવાળા આચાર્યને તે બાળકે પણ ‘મારા વચનને સાંભળો' આ પ્રમાણે કહ્યું અને કથા કહેવી શરૂ કરી. ૬. ‘ત્રસકાયે કહેલી કથાઓ' :
581
હે ભગવન ! આ ભરતક્ષેત્રમાં ‘શ્રી વસંતપુર’ નામનું એક નગર હતું. અનેક શત્રુ રાજાઓને જીતનાર ‘જિતશત્રુ’ નામનો રાજા એ નગરને પાળતો હતો. એક દિવસે એ નગર પરચક્રથી ચોમેર ઘેરાઈ ગયું. વૈરીઓ મારી નાંખશે એવી ભીતિથી ભય પામેલા, એ જ કારણે ગામમાં પ્રવેશ કરતા ચંડોળોને, તેમના સ્પર્શની ભીતિથી નગરના લોકો તેમને નગરમાં નહિ પેસવા દેતાં બહાર કાઢે છે, એ જોઈને કેટલાક લોકોએ કહ્યું કે
‘હે માતંગો ! નગરમાં રહેલા લોકો ક્ષુબ્ધ થયેલા હોવાથી તમને નગરની બહાર કાઢી મૂકે છે, માટે હવે તમે કોઈ બીજી જ દિશાનો આશ્રય લો, કારણ કે, તમને શરણથી જ ભય પેદા થયો છે.’
બજા એક નગરમાં રાજા જ એવો હતો કે, જે જાતે જ દિવસે પુરોહિતે જોયેલું રાત્રે ચોરી આવતો.' આ વાતને જાણીને તે નગરની જનતા કહેવા લાગી કે -
“જે નગરમાં રાજા સ્વયં ચોર હોય અને પુરોહિત ભંડિત હોય, તેવા નગરમાં રહેનાર લોકો ! તમે અટવીમાં ચાલ્યા જાઓ, કારણ કે, એ તો શરણથી ભય ઉત્પન્ન થયો કહેવાય.”
બીજા એક નગરમાં ‘ત્રિવિક્રમ’ નામનો એક યજ્ઞ કરનારો રહેતો હતો. તેણે સુંદર પાણીવાળું અને પાળ તથા વૃક્ષોથી શોભતું એક સરોવર કરાવ્યું અને એ સરોવરની પાળ ઉપર ઊગેલાં જે વૃક્ષો તે વૃક્ષોની અંદરના ભાગમાં નરક જેવા જે કુંડો હતો, તે કુંડોમાં ૫૨માધાર્મિક જેવી આચારણા કરનારો તે યજ્ઞકર્તા
૧. “ચોર: સ્વયં રૃપો યંત્ર, પુરોયા, મજ્કિ: પુન । તત્વોરા: નિનું યાત, નાતં શરબતો મયમ્ ।।।।"