________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
ઉષ્ણકાળના ઉગ્ર પવનથી સળગી ઊઠેલ અગ્નિથી એનું ઝૂંપડું બળી ગયું. તે જોઈને તે લોકોને કહેવા લાગ્યો કે -
579
“જે અગ્નિને હું નિરંતર મધ અને ઘીથી તર્પિત કરું છું, તે જ અગ્નિએ મારૂં ઝૂંપડું બાળી મૂક્યું. આથી ખરેખર, શરણથી જ ભય ઉત્પન્ન થયો એમ કહેવાય.
અથવા -
.
‘કોઈ પણ માણસે વાઘની ભીતિથી જે અગ્નિનું શરણ સ્વીકાર્યું, તે જ અગ્નિના યોગે તેનું અંગ દગ્ધ થઈ ગયું. આ પણ, શરણથી જ ભય થયો એમ કહેવાય..
તેવી જ રીતે -
“હે પ્રભો ! મને અગ્નિકાયને પણ આપના તરફથી એમ જ થયું છે, એટલે કે, શરણરૂપ આપના તરફથી જ પ્રાણનાશક ભય ઉત્પન્ન થયો છે !”
આ પ્રકારના કથનથી પણ આચાર્ય ન પીગળ્યા, એટલું જ નહિ પણ ‘તું ઘણો જ વિશ છો !' - આ પ્રમાણે કહીને તેનું ગળું છેદી નાંખ્યું અને ભૂષણો પડાવી લીધાં. તે પછી આચાર્ય આગળ ચાલ્યા, ત્યાં તો ચોથો બાળક આચાર્યે જોયો. એ બાળક પણ અલંકારોથી અલંકૃત હતો અને એનું નામ ‘વાયુકાય હતું. એના પણ અલંકારોને લૂંટી તેવા તૈયાર થયેલા આચાર્યને એ બાળકે કહ્યું કે, ‘હે પ્રભો ! એક કથા સાંભળો !’ ૪: ‘વાયુકાયે કહેલી કથા' :
ચોથા ‘વાયુકાય’ નામના બાળકે પણ પોતાની કથા કહેતાં કહેવા માંડ્યું
કોઈ એક પુરુષ જે મહા બળવાન હતો, નીરોગી હતો, સુભગમાં અગ્રણી હતો અને ખાઈનાં અગાધ પાણી તરવામાં પ્રવીણ હતો. હવે એ પુરુષને એવો વા થયો કે જેના પરિણામે તેનાં સઘળાંય અંગો ભાંગી ગયાં. આથી એને દંડનું અવલંબન કરવું પડ્યું. આવી સ્થિતિમાં જોઈને કોઈક એક માણસે તેને પૂછ્યું કે -
૧. “યે સર્વવામ્યદું શશ્વન્મ-મધ્યાન્ગેાંતવેવસમ્ ।
स ददाहोटजं मेऽद्य, जातं शरणतो भयम् ।।१।।
૨. “યદા òનાપિ ફ્રિ વ્યાઘ્ર-ભીત્યાઽગ્નિશરમાં વ્રત:। મળ્યું તવાં તેનેવ, નાત શરળતો મમ્ ।।૨ા"