________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
લઈ લેવાની થઈ, એટલે આચાર્ય પોતાના અલંકારો લે તે પહેલાં જ તેણે પણ એક કથા કહેવા માંડી.
૮
578
૨. ‘અકાયે કહેલી કથા' :
કથા કહેતાં તેણે કહ્યું કે, વાણીએ કરીને પટુ ‘પાટલ' નામનો એક ‘તાલાચર’ હતો. તે કોઈ એક દિવસે સામા તટે જવા માટે ગંગા નદીમાં પેઠો. તે નદીમાં તે વખતે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે ભયંકર પૂર આવ્યું. એ પૂરના વેગથી તે પાટલ તણાવા લાગ્યો. તેને તણાતો જોઈને તીર ઉપર રહેલા લોકો બોલી ઊઠ્યાં કે, ‘હે પ્રાજ્ઞ પાટલ ! તને ગંગા તાણી જાય છે, માટે કોઈ. સારો શ્લોક બોલ !' લોકોના કહેવાથી તે પણ બોલ્યો કે -
“જેનાથી બીજો ઊગે છે અને ખેડૂતો જીવે છે, તેની જ મધ્યમાં રહેલો હું મરી જાઉં છું; ખરેખર, આ રીતે મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે.” પાટલનાં એ પ્રકારનાં વૃત્તાંતને કહીને તે,આચાર્યને તે બાળકે કહ્યું કે, “અકાય નામના મને પણ આપના આશ્રયથી-શંરણરૂપ વસ્તુથી જ ભય પેદા થયો છે.”
આ પ્રમાણે એ બાળકે કહેવા છતાં પણ ભ્રષ્ટ થયેલા તે આચાર્યના અંતઃકરણમાં દયાની ભાવના ઉત્પન્ન ન થઈ અને પ્રથમ બાળકની માફક જ એની પણ ડોક મરડી નાંખીને તેનાં સઘળાંય આભરણો.કાઢી લીધાં અને આગળ ચાલવા માંડ્યું.
આગળ ચાલતાં આચાર્યને ‘તેજ કાય’ નામનો ત્રીજો બાળક મળ્યો અને તે પણ અલંકારોના ભારથી લદાયેલો હતો. તેના પણ અલંકારો લઈ લેવા તૈયાર થયેલા તે આચાર્યને તે બાળકે રોક્યા અને કહ્યું કે, ‘મારાથી કહેવાતું એક કથાનક આપ સાંભળો !’
૩. ‘-તેજઃકાયે કહેલી કથા' :
એ ત્રીજા બાળકે પણ પોતાની કથા કહેતાં કહ્યું કે
કોઈક આશ્રમમાં એક તાપસોનો અગ્રણી હતો. તે મૂળ ફળોને ખાનારો હતો અને નિરંતર આહુતિથી અગ્નિત્રિતયને પોષતો હતો. એક દિવસે
૧. “વીનાનિ ચેન તેિિન્ત, નીવત્તિ ૫ પીવાઃ ।
म्रियेऽहं तस्य मध्यस्थो, जातं शरणतो भयम् ।। १ ।। "