________________
57 – ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા !.41 – ૭
આગળ ચાલતા ગુરુને તે દેવે માર્ગમાં પૃથ્વીકાય” નામના એક બાળકને બતાવ્યો. એ બાળક ભૂષણોથી ભૂષિત હતો, એ કારણે એવાં ભૂષણોથી ભૂષિત થયેલા બાળકને નિર્જન વનમાં જોઈને ભ્રષ્ટ થયેલા એ આચાર્યે વિચાર્યું કે, જો આ બાળકના અલંકારો હું પડાવી લઉ તો એના યોગે ભોગો સારામાં સારી રીતે ભોગવી શકાય ?” આ પ્રકારના વિચારના યોગે એ ભ્રષ્ટ આચાર્યે એ બાળકનાં ભૂષણો લઈ લેવાની ઇચ્છાથી હાથ લંબાવ્યો; તેટલામાં જ તે બાળક એકદમ બોલ્યો કે -
હે પ્રભો ! એક કથાને સાંભળો. પછીથી પણ આ અલંકારો આપને જ આધીન છે.” ૧. “પૃથ્વીકાયે કહેલી કથા':
બાળકની એ માંગણીને આચાર્યે સ્વીકારી, એટલે એ પૃથ્વીકાય' નામના બાળકે કથા કહેતાં કહ્યું કે –
કોઈ એક ગામમાં કળાથી શોભતો અને ખ્યાતિ પામેલો એક કુંભાર રહેતો હતો. એ કુંભાર માટીથી ઉત્પન્ન કરેલાં વાસણોથી પોતાના કુટુંબનું પોષણ કરતો હતો. કોઈ એક દિવસે તે કુંભાર એક માટીની ખાણને ખોદતો હતો, એ અરસામાં તે ખાણ પડી અને તેનાથી તે દબાયો. દબાયેલા તેણે તટ ઉપર ઊભેલા એક પુરુષને ઉદ્દેશીને કહ્યું કે -
જેના વડે હું બલિ તથા ભિક્ષા આપું છું તથા કુટુંબને પોપું છું, તે જ પૃથ્વી - મારા ઉપર આક્રમણ કરે છે. ખરેખર, આ તો શરણથી જ ભય ઉત્પન્ન થયો.”
. તેવી જ રીતે હું “પૃથ્વીકાય' નામનો બાળક ચોરના ભયથી આપના શરણે આવ્યો છું, તો શું હાલમાં આપ મને લૂંટશો ? - બાળકના આ પ્રશ્નને સાંભળ્યા છતાં પણ ભ્રષ્ટ થયેલા તે આચાર્યે તે બાળકને કહ્યું કે,
હે બાળક ! તું ચતુર છો !”
આ પ્રમાણે કહીને તે બાળકનું ગળું છેદી નાખ્યું અને તેના અલંકારો લઈને પોતાનું પાત્રુ ભરી દીધું. આ પછી તે ઝપાટાબંધ આગળ ચાલ્યા, પણ આગળ ચાલતાં જ માર્ગમાં તે આચાર્યે એક બીજું બાળક જોયું. તેનું નામ “અકાય’ હતું અને તે પણ અલંકારોથી ભરચક હતું. આથી આચાર્યની ઇચ્છા તેના અલંકારો
• “તાર ! વિથોડા !'