________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
“પ્રથમ તો તું દઢ અંગવાળો હતો અને હવે અત્યારે આ રીતે લાકડીના ટેકે કેમ ચાલે છે ?”
૧૦
આ પ્રશ્નનો ઉત્તર આપતાં તેણે પણ કહ્યું કે -
“ગ્રીષ્મ ઋતુમાં જે પવન મને સુખકર થતો હતો, તે જ પવનથી આ મારી કાયા ભાંગી નખાય છે; એ કારણે મને શરણથી જ ભય થયો છે.”
580
આ પ્રમાણે કહીને વાયુકાય બોલ્યો કે, ‘હે પ્રભો ! હાલમાં મને પણ આપ જેવા દયાળુ તરફથી આવી હાલત ઊભી થવાના કારણે શરણથી જ ભય પેદા થયો !!!' આ કથનથી એક લેશ પણ દ્રવીભૂત ન થતાં એ આચાર્યે પ્રથમની માફક જ ક્રૂ૨૫ણે તે ચોથા ‘વાયુકાય’ નામના બાળકનું પણ માથું કાપી નાંખીને તેના અંગ ઉપરના અલંકારો પડાવી લીધા અને આગળ ચાલવા માંડ્યું.
આગળ ચાલતાં પાંચમું ‘વનસ્પતિકાય’ નામનું બાળક માર્ગમાં મળ્યું. તે બાળક પણ અલંકારોથી સજ્જ થયેલું હતું, એટ્લે તેના અલંકારોને પણ ઝૂંટવી લેવાને સજ્જ થયેલા આચાર્ય પ્રત્યે તે બાળકે પણ એક કથા કહી.
૫. ‘વનસ્પતિકાયે કહેલી કથા' :
પક્ષીઓની શ્રેણિના નિવાસરૂપ એક વિશાળ વૃક્ષની નીચે મૂળથી એક લતા ઊગી હતી. એ લતાએ મૂળથી આરંભીને આખાયે વૃક્ષને વીંટી લીધું. એ લતા પર આરૂઢ થઈને ક્રમસર એક સર્પ વૃક્ષની શિખાએ પહોંચ્યો અને વૃક્ષની શિખા ઉપર માળામાં રહેલાં પક્ષીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. આથી બીજાં પક્ષીઓ ઊડીને અન્ય વૃક્ષો ઉપર ચાલ્યાં ગયાં અને શોક તથા ભયથી પીડિત થયેલાં તે પક્ષીઓ તે વૃક્ષને ઉદ્દેશીને કહેવા લાગ્યાં કે કે -
“આ વૃક્ષ ઉપર અમો આટલા કાળ સુધી સુખપૂર્વક રહ્યાં, પણ આ વૃક્ષના મૂળમાં ઉત્પન્ન થયેલી વેલડીના યોગે આ શરણરૂપ વૃક્ષથી અમને આ પ્રકારનો ભય ઉત્પન્ન થયો.”
આ પ્રકારની કથા કહીને તે પાંચમા ‘વનસ્પતિકાય' નામના બાળકે આચાર્યને કહ્યું કે, ‘જેમ એ પક્ષીઓને શરણરૂપ વૃક્ષથી ભય ઉત્પન્ન થયો, તેમ
૧. “દૃઢાઙ્ગ: પૂર્વમાસીત્ત્વ-મધુના મૃિત્મ્યમ્ ।” ૨. “સોડબૂચે પવનો યોઽભૂ-થ્રીબો સુહમ્મમ | भज्यते तेन कायोऽयं, जातं शरणतो भयम् ।।१।।"
૩. “સ્થિતમસ્મિતરો ાણ-મેતાવાં યથાસુલમ્ । મુોત્થવરીયો-ખ્ખાતું શાતો મવમ્ ારા"