Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજ્યાભિષેકના પાંચમા વર્ષમાં રાજધાનીમાં આણી હતી. અહીં તિત્રસત શબ્દ અત્યંત મહત્ત્વપૂણુ છે, જેના વડે આપણે ખારવેલા સમય નિશ્ચિત કરી શકીએ. આનેા અનુવાદ જો ૧૦૩ વર્ષી કરવામાં આવે તેા નંદ(- ધનન')ના સમય ઈ. પૂ. ૩૨૪ માંથી ૧૦૩ વર્ષ બાદ કરતાં 'ખારવેલને સમય ઈ. પૂ. ૨૨૧ રહે છે. જ્યારે (આ સમયે) અશાકનું મગધમાં રાજ્ય હતું, તેથી આ અથ અસંભવ લાગે છે. આને ૩૦૦ વર્ષોં માનવામાં આવે, તેા ૩૨૪-૩૦૦ એટલે કે ૨૪ આવશે. ઈ. પૂ ૨૪ માં ખારવેલ વિદ્યમાન હતા. આજ સમય શાતણુને છે, અને આ જ હાથીગુફાના લેખની આઠમી પંક્તિમાં યવનરાજ ક્રિમિત સમય છે. શાતના સમય પશુ આજ રીૐ નિશ્ચિત કરી શકાય છે. પુરાણુઅનુસાર સિમુખ કણ્ડનરેશ સુશર્માંણુ(ઈ. પૂ. ૪૦ થી ૩૦)ના સમકાલીન હતા. સિમુખે ઈ પૂ. ૪૦ થી ઈ. પૂ. ૩૦ સુધી રાજ્ય કર્યુ. સિમુખ પછી કૃષ્ણે ઈ. પૂ. ૩૦ થી ૨૭ સુધી રાજ્ય કર્યુ અને તે પછી શાતકણિ ૧ લાએ ઈ. પૂ ૨૭ થી ૩૭ સુધી રાજ્ય કર્યું". આ જ્ઞાતકણિત દક્ષિગ્રાપથપતિ શાતકણિ` કહ્યો છે. આ રીતે એ સ્પષ્ટ થાય છે કે અભિલેખવિદ્યા વિના પ્રાચીન ભારતીય ઇતિહાસના કાળક્રમ નક્કી કરી શકાય તેમ નથી, ત પ્રાચીન ભારતમાં ધાર્મિ ક સહિષ્ણુતા અંગેનાં ઉદાહરણો પણ અનેક અભિલેખેમાંથી ઉપલબ્ધ થાય છે. એસનગર ગરુડ સ્તંભલેખમાં જણાવ્યા અનુસાર યવન રાજા અંતિલિકનના રાજદૂત હેલિયેદાર શું. નરેશ ભાગભદ્ર(ભાગવત ભદ્રક)ના દરબારમાં આવ્યા હતા. ભારતના વૈષ્ણુવ ધર્મોથી તે એટલે પ્રભાવિત થયા કે તેણે સ્વય... વૈષ્ણવ ધ સ્વીકાર કર્યાં અને એસનગરમાં જ ગરુડસ્તંભ સ્થાપિત કર્યાં, જે આજે પણ મેાજૂદ છે. આ લેખમાં હેલિયેાદોર પોતાને ભાગવત તરીકે વર્ણવે છે. ઇતિહાસના કેટલાંક તથ્યો આશિક રૂપમાં સાહિત્યમાંથી મળી રહે છે, પણ તેની સંપૂ માહિતી તા અભિલેખામાંથી જ મળે છે. દા. ત. કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર' નાટકમાંથી પુષ્યમિત્ર શુંગા યવનવિજય આપણે જાણીએ છીએ, પણ મહારાજા ધનદેવના અયોધ્યામાંના શિલાલેખ ઉપરથી જણાય છે કે પુષ્યમિત્રે યુવાને હરાવી, એ અશ્વમેધ યનેા કર્યાં હતા. જે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિને રાજાઓના ઇતિહાસમાંથી જુદી કાઢી નાખવામાં આવે, તે ગુપ્તવ`શના ઇતિહાસમાં સમુદ્રગુપ્તના નામ સિવાય કંઈ બાકી રહે નહીં. સ્ક ંદગુપ્તના ભિતરી શિલાલેખ દ્વારા ણેના આક્રમણુ વિશે માહિતી મળે છે, મંસારમાંના યશેાધર્માંના શિલાલેખથી તત્કાલીન રાજનૈતિક ઇતિહાસ જાણવા મળે છે. મંસારના આ સ્તંભલેખ ન હોત તો, આટલા મોટા વિજય અંગે આપણે સૌ અજ્ઞાત જ રહેત. આ જ પ્રમાણે દિલ્હીના ચંદ્રગુપ્તના મેહરૌલ્લી લેાહસ્ત ભલેખ આ રાજાના વિજયની યશેાગાથારૂપે છે. રાજનૈતિક ઇતિહાસની સાથે સાથે અભિલેખા દ્વારા સાંસ્કૃતિક ઇતિહાસ અંગેની સામગ્રી પશુ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દા. ત. કુમારગુપ્ત અવર્માંના મદસાર શિલાલેખમાં પ્રશસ્તિકાર વત્સટ્ટિએ મ'દસાર નગરનું સુંદર અને સજીવ વન કયુ` છે. મંદસૌર ગુપ્તકાલમાં એક ખૂબસૂરત નગર હતું. અભિલેખમાં આવતાં વર્ષોંન ઉપરથી ત્યાંના બાગ-બગીચા, સરિતા તટ અને ભવવિન્યાસની માહિતી મળે છે. પ્રશસ્તિકારનું ચિત્રણુ બહુ જ હૃદયસ્પશી છે. विचित्रतीरान्त - जलानि भान्ति प्रफुल्लपद्माभरणानि यत्र । सरांसि कारण्डवसंकुलानि ॥ ७ विलोलवीचिचलितारविन्दपतद्रजः पिज्जरितैश्व हंसे । ८ A ત્યાંના ભવા માટે કવિ લખે છે : प्रासादमालाभिरलंकृतानि धरां विदाय्यैव समुत्थितानि । विमानमाला सदृशानि यत्र गृहाणि पूर्णेन्दुकरामलानि ।। १२ Acharya Shri Kailassagarsuri Gyanmandir સામીપ્ટ : કટોબર, '૮૭થી માર્ચી, ૧૯૮૮] For Private and Personal Use Only ૧૨૧Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100