Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તુત સંય પ્રતિમા આ શકયતાને પુષ્ટિ આપે છે. તેથી પિંચુમન્દા તીર્થ આ સ્થળે હેવાને મત દઢ થયો. અમદાવાદમાં સાબરમતીને કિનારે ઉપરવાસમાં અર્થાત દુધેશ્વર અને પંચનાથની વચ્ચેના ભાગમાંથી સૂર્યની કોઈ પ્રતિમા પ્રાપ્ત થઈ નથી તેથી પણ સૂર્યતીર્થ અંગેને પ્રસ્તુત મત દૃઢતર બને છે. અમદાવાદ અને સૂર્ય પૂજા
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતા અમદાવાદના ઇતિહાસનાં અન્વેષણ દરમિયાન વાઘેશ્વરીની પિળમાં વાઘેશ્વરી માતાના મંદિરમાં, કામનાથ મહાદેવ(રાયપુર દરવાજા બહાર)માં, ગાયકવાડની હવેલીના બુરજની ભીંત ઉપર, ઢાળની પોળમાંના અંબા માતાના મંદિરમાં, ગંગનાથ મહાદેવમાં એમ વિવિધ સ્થળોએ સર્વ પ્રતિમા અમને જોવા મળી છે. આ ઉપરાંત રન્નાદેની પ્રતિમાઓ પણ અમારા જોવામાં આવી છે. શૈલીની દષ્ટિએ આશરે આઠમી નવમી સદીથી આશરે તેરમી સદી સુધીના સમયગાળામાં મૂકી શકાય તેવી આ પ્રતિમાઓ પૈકી ઘણી વિવિધ મંદિરોમાં પૂજાતી મૂતિઓ હોવાનું જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ તેની ઉપાસના આજે પણ ચાલુ રહી છે.
આ પરિસ્થિતિ જોતાં અમદાવાદના પુરોગામી આશાવલમાં સૂર્યની ઉપાસનાનું બળ હતું તેથી સાબરમતી નદીને કિનારે સૂર્યોપાસકોનું મંદિર હોય એ બાબત સ્વાભાવિક છે. અમદાવાદ પાસેના સરખેજ ગામની ભાગોળે પણ સૂર્યની ખંડિત પ્રતિભા અસ્તિત્વ ધરાવે છે. આ માહિતી ઉપરથી અમદાવાદ પ્રદેશમાં સૂર્યની ઉપાસના અને તેની સાથે તેના રત્ન માણેકનું નામ પણ પ્રચારમાં હોવાને સાધાર અભિપ્રાય બાંધી શકાય, અર્થઘટન
અત્યાર સુધી વર્ણવેલી માહિતીના આધારે અમદાવાદના ઇતિહાસ વિશે કેટલાંક અર્થધટને રજૂ કરવાની મોકળાશ જણાય છે; જેમાં માણેક નામ અને સૂર્ય પૂજા, રાજમહેલના બાંધકામની ચર્ચા, રૂપકની નિષ્ફળતા, કથાઘટકની ભૌગોલિક સ્થિતિ, માણેકનાથ શબ્દની ચર્ચા જેવા મુદ્દાઓ સમાવિષ્ટ થઈ શકે, જે અહી' અમે પ્રસ્તુત કરી છે.
માણેક નામ અને સૂર્ય પૂજા : આ તમામ પરિસ્થિતિને લક્ષમાં લઈને માણેકનાથની કથા અને માણેક નદીના નામના પ્રચારનું અર્થધટન સરળતાથી થઈ શકે એમ છે. આશાવલના સૂર્યોપાસકે અહીં લાંબા વખતથી વસતા હતા. તેમણે તેમના પ્રદેશનાં નાનાં નાળાંને માણેક નદી નામ આપ્યું હોવાનો સંભવ છે. આ નાળું નાનું પણ મહત્વનું હતું. તેને રતનપળ, સાંકડી શેરી, માંડવીની પિોળ, દાણાપીઠને ઢાળ તથા રતનપોળથી પશ્ચિમના વિભાગના ઉંચાણવાળા ભાગનાં પાણી જે ખુલ્લી જગ્યામાં મળતાં તેનું નામ આ પરંપરા અનુસાર માણેકચોક આપવામાં આવ્યું હશે.
રાજમહેલનું બાંધકામ : આશાવલના સૂર્યોપાસકેના મહત્ત્વના તીર્થ પાસે જ્યારે અહમદશાહનો રાજમહેલ બાંધવાનું આયોજન થયું હશે ત્યારે કેટલીક ચર્ચા-વિચારણા કે સંઘર્ષ ઉભય પક્ષે સ્વાભાવિક રીતે થયું હશે. પરિણામે જમીન બાબતની ચર્ચા સંદર્ભે પલટાતા વિચારોને કાલાંતરે માણેકનાથની ગોદડીના રૂપક દ્વારા રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાનું સૂચિત થાય છે.
નિષ્ફળતા રૂપક અને તેનું મૂળ: સૂર્યોપાસક અને સુલતાન વચ્ચે થયેલી ચર્ચા વિચારણાના અંત પણ રાજમહેલ બાંધવાનો નિર્ણય તો લેવાયો હોવાથી, તેમાં માણનાથ બાવાની નિષ્ફળતા સ્વાભાવિક રીતે જોવી પ્રાપ્ત થાય છે. આ નિષ્ફળતા સંદર્ભે, વ.મનને સાડાત્રણ પગલાં પૃથ્વી આપવાની વાતનો વિરોધ કરવા સારું વિશ્વામિત્ર કરવામાં પેસી ગયા હતા તે કથા ઉપરથી માણેકનાથનું રૂપક પ્રચારમાં મૂકાયું હોવાનું અનુમાન કરી શકાય. સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૬૯
For Private and Personal Use Only