Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસારવા ‘અસારુઆ' તરીકે પણ જૂના ઉલ્લેખામાં આળખાય છે. તે અમદાવાદની ઉત્તરે આવેલુ‘ પુરુ' છે. શહેર અને પરાંત નિકટને સંબધ આ પરથી વરતાય છે. નં. ૮૯૧૭ ના વિ. સં. ૧૮૫૩ ના ખતપત્રમાં ‘રાયપુરે ચબુત્રે' કાહાંનગે...નગરશેઠે દીવાસ...”ના ઉલ્લેખ છે. તેમાં ‘રાયપુરને ચમ્રુતરા’ કહ્યો છે. ત્યાંના વિસ્તારમાં સ્થાનિક અમલદારા કાહાંનુગા વગેરે નીમાતા હોવાનું સ્પષ્ટ છે અને નગરશેઠ દીપાસ-એ દીપાસાં હોવાનું સ્પષ્ટ લાગે છે. ખતપત્ર ન, ૮૯૧૩ માં અહેમદાવાદ શહેરની મધ્યે ચકલે અકબરપુરે ખાડીયે રસ્તે હી'ગલેક જોસીની પોળના બહાર દક્ષિણ વિભાગે ઉત્તરાભિમુખની એક ખડકીમાં પૂર્વાભિમુખનું મકાન આડધરેણે મૂકાયાની વિગત આવે છે. શ્રી મગનલાલે જણાવ્યુ છે તે પ્રમાણે એ પાળતું બારણું પૂર્વાભિમુખનું છે. એની ઉત્તરે નાથાકાકાની પાળ, પશ્ચિમે ફતાસાની પોળ, દક્ષિણે લ ખા પટેલની પાળ છે. એ પાળમાં નાગરની વસ્તી છે.૪ હાલમાં પણ આ પાળ સાંકડીશેરીમાં છે. શ્રી ૨. બીજોટે ‘અકબરપુર'નુ'-વર્ણન' કર્યુ છે." પરંતુ તેનુ ચાક્કસ સ્થાન દર્શાવ્યું લાગતું નથી, પરંતુ તે શહેરની મધ્યમાં હશે. લાખા પટેલની પોળમાં નાગરેશની વસતી અત્યાર સુધી વધુ હતી. ‘અકબર પુર’ ખાડિયાને ઓળખવાનુ'; વળી તેને અદાવર પુર' પણુ જણાવાયું છે. શ્રી. જોટે કહે છે તે પ્રમાણે અમદાવાદ શહેરના દરવાજા અને ચકલા કે મુતરાનાં જુદાં જુદાં નામેથી ઓળખાતાં હતાં. તેમાં રાત્રે કોટવાલ અને ચોકીદાર રહેતા હતા. આવા ખતપત્રામાં રાયપુર ચકલા સદરજહાં ચકલે અકબરપુરે...ચકલે ગાલિબખાને વગેરે નામેા આપીને વર્ણન કરીને તે તે વિસ્તારના અમલદારતાં નામાતા ઉલ્લેખ કરાતા. આ ‘સદરજહાં'ની શોધખે,ળ શ્રી ૨. ના, મહેતા અને શ્રી રસેશ જમીનદારે કરી છે. તેમના મત પ્રમાણેઃ આ વિસ્તાર રિલીફ રાહ પર, પથ્થર કુવા પાસેા ભાગ છે. પરંતુ આ ખતપત્રામાં જણાવ્યા પ્રમાણેના સ્થાનની દૃષ્ટિએ એ બરાબર બંધ એસતું લાગતું નથી. કદાચ ખતપત્રાની દૃષ્ટિએ કંઈક જુદું' હોઈ શકે. (૧૦) હિજરી સં. ૧૨૧૬ (ઇ. સ. ૧૮૦૧)ના મુલકાલીન ખતપત્રમાં અમદાવાદના રાયપુર ચકલા રાજામહેતાની પોળના મકાનના વેચાણની વિગત (નં. ૨૧૯) તથા નં. ૨૨૩ ના હિજરી સં. ૧૦૯૧(ઈ. સ. ૧૬૮૦)ના અરબી-ફારસી ખતપત્રમાં પશુ રાયપુરમાં આવેલી ૧૨૬ ગજ જમીન અને મકાન વેચાયાની વિગત નોંધાયેલી છે. અત્યારે પણ ખાડિયા ચાર રસ્તાથી રિલીફ રોડ જતાં ડાબા હાથે આ નામે પાળ આવેલી છે. કાળુપુરમાં બ્રહ્મપુરીની પોળમાંથી જકરિયા મસ્જિદ તરફ જવાના રસ્તે આ પોળ આવેલી છે. તેનું સમન ર. ભી. જેટના ઉલ્લેખ પરથી વધુ મળે છે. જૂનાં પરાં કે ોળાને અત્યારનાં નવાં નામેા સાથે સાંકળીને ઓળખી બતાવવાના પ્રયાસ શ્રી ૨. બી. જોટેએ કર્યાં છે. સૈયદ અફઝલખાના સગાં-સ’બધીએ પૈકી સૈયદ ફયાઝખાનને ભાઈ ‘સજહાન” નામે હતેા. એ નામે તે। આ સદરજર્હાંના ચકલાનું નામ નહિ પડયું હોય ? સહાન' ઉપરથી ગુજરાતીમાં ‘સદરજŕ'' થયુ' હશે ?૧૦
પાદટીપ
૧. ‘વિદ્યા', અં. ૨૦, ઈ. સ. ૧૯૭૭, પૃ. ૩૦
૨. અમદાવાદના ઇતિહાસ', પૃ. ૧૦૪ ૪. ૨. ભી, જોટ ‘ગુજરાતનું પાટનગર : અમદાવાદ', પૃ. ૩૩૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. એજન, પૃ. ૯૯
૫. એજન, પૃ. ૩૨૮-૩૨૯
૬. ‘સદર જતાં ચકલા(અમદાવાદ)ની નિસ્તાર પુરાવસ્તુ', 'સામીપ્ય', પુ. ૧, અં. ૪, પૃ. ૧૩૦-૧૩૪
છે. 'ગુજરાતનું' પાટનગરઃ અમદાવાદ,' પૃ. ૧૧ ૮. એજન, પૃ. ૨૧૩,૨૨૯,૩૨૮-૩૨૯ વગેરે. ૧૦, ગુજરાત ઇતિહાસ પરિષદ માટે તૈયાર કરેલા લેખતા થોડો અંશ.
૨૦૦]
અને ૧૦૬
૯. મિરાતે એહમદી, પૃ. ૨૯૩ (ગુજરાતી અનુવાદ).
[સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only