Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવવિવાહને લગતી ગુજરાતમાંથી પ્રાપ્ત બે વિરલ પ્રતિમાઓ --પ્રવીણચંદ્ર પરીખ * શિવવિવાહ દેવાના વિવાહમાં અનોખી ભાત પાડે છે. વસ્તુત: શિવ સિવાય કોઈ અન્ય દેવતાનાં લગ્ન વિષે કયાંય પુરાણમાં કે બીજા શાસ્ત્રીય ગ્રંથોમાં નિરૂપણ મળd આ શિવ-વિવાહનું મૂર્તિવિધાન પુરાણ ઉપરાંત શિલ્પશાસ્ત્રોમાં પણ અપાયું છે. સ્કંદ પુરાણ, શિવ મહાપુરાણ, અંશુમભેદાગમ, પૂર્વકારણગમ, ઉત્તર-કામિકાગમ અને શ્રીતત્તનિધિ જેવા ગ્રંથમાં શિવ-પાર્વતીના લગ્ન-પ્રસંગને “કલ્યાણ સંદર' તરીકે ઓળખાવ્યું છે. હિંદુ મૂર્તાિવિધાનના મૂર્ધન્ય વિદ્વાન શ્રી ટી. ગોપીનાથ રા તેમના Elements of Hindu Iconography નામના પ્રસિદ્ધ પુસ્તકમાં આવી સાત મૂતિઓ વર્ણવી છે, જેમાંની એક ઈલેરામાં અને એક ધારાપુરી(એલિફન્ટા)ની પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પાવાગઢમાંની આ સ્વરૂપની એક મૂતિનો ઉલ્લેખ શ્રી ક. ભા દવે અને ડે. ઉ. કે. શાહે કરેલું છે, પરંતુ તેઓએ એનું વર્ણન આપ્યું નથી. અહીં પાવાગઢની એ મૃતિ ઉપરાંત અમદાવાદમાં પણ એક આ પ્રકારની મૂર્તિની જાણકારી અનાયાસ પ્રાપ્ત થતાં એ બંનેનું અહીં અવલેકને પ્રગટ કરવામાં આવે છે. આમાં પાવાગઢના શિ૯૫૫ ( ચિત્ર-૨ )નું અભિધાન શ્રી ક. ભા. દવે અને શ્રી ઉ. કે. શાહે કલ્યાણ સુંદર મૂર્તિ તરીકે કયું છે, પરંતુ આ શિ૯૫નું અવલેકન કરતાં એમાંનો પ્રસંગ પાણિગ્રહણનો નહિ પણ પાણિગ્રહણ પછીની વિધિ દર્શાવતે જણાય છે. આ શિ૫ પાવાગઢના લકુલીશ મંદિરના વાડામાં છૂટું પડેલું છે. આ શિપને ફોટોગ્રાફ ઉપલબ્ધ કરવા માટે અમેરિકન ઈન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણસીને હું આભારી છું. શિવ વિવાહને લગતા આ શિ૯૫માં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવ સમભેગમાં અને પાર્વતી ત્રિભંગમાં ઉભેલાં છે. શિવ ચતુર્ભુજ છે, જ્યારે પાર્વતી દ્વિભૂજ છે. શિવે જમણા ઉપલા હાથમાં ત્રિશૂલ (જેને ઉપર ભાગ ખંડિત છે) અને ડાબા ઉપલા હાથમાં નાગ ધારણ કરેલ છે. તેઓ ડાબા નીચલો હાથ વડે પાર્વતીને આલિંગન આપે છે. શિવને જમણે નીચલે હાથ અને પાર્વતીના બંને હાથ, આમ ત્રણેય હાથ વડે કોઈ વસ્તુ ધારણુ કરેલ છે. એમાં શિવને હાથ ઉપર અને પાર્વતીના હાથ એની નીચે રાખેલ છે. શિવ અને પાર્વતીના જાનુ પર થઈને પસાર થતું વર-કન્યાનું છેડા-ગાંઠણું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શિવ અને પાર્વતીના પગની વચ્ચેથી દેખાતા ગાળામાં બ્રહ્મા વિરાસનમાં બેસીને હામ કરતા જોવા મળે છે. તેમનાં ત્રિમુખ સ્પષ્ટ દેખાય છે. તેમની સંમુખ નાનું સરખું ચોરસ ઘાટનું દિપાત્ર રાખેલું છે, જેમાં તેઓ જમણુ ઉપલા હાથમાં ધારણ કરેલા સૂવ વડે આહુતિ આપી રહ્યા છે. તેમનો જમણે નીચલે હાથ અસ્પષ્ટ છે. જ્યારે ડાબા ઉપલા હાથમાં પુસ્તક અને ડાબે નીચલે હાથ હૃદય આગળ રાખીને જાણે કે તેઓ આહુતિઓ ગણતા હોય એ પ્રકારનો ભાવ દર્શાવે છે. તેમના હાથમાં અક્ષમાલા છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. * અધ્યક્ષ, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય : કટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૫૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100