Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
ગુજરાતમાંથી ઉપલબ્ધ “કાલિયમનશિલ્પમાં વિષ્ણુનું સ્વરૂપ
હરિપ્રિયા રંગરાજન *
ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં રામ અવતાર અને કરુણ અવતાર એ બે સંપૂર્ણ અવતાર મનાય છે. આ બંને અવતારમાં ભગવાન વિબણુએ સ્વયં મનુષ્ય સ્વરૂપમાં અવત કરી અધર્મને નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી..
ભગવાન વિષ્ણુના અવતારોમાંના એકલા કૃષ્ણ અવતારમાં જ એમણે પિતાના જન્મથી માંડી જીવનની અંતિમ ઘડી સુધી પોતાની દિવ્ય લીલાઓને પ્રદર્શિત કરતા રહી અવતારના પ્રજનને પૂર્ણતઃ સિદ્ધ કર્યું.
શ્રીકૃષ્ણના અવતાર અને એમની બાળ લીલાઓનું વર્ણન હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિસ્તારથી મળે છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં સહુથી વધુ વાર ઉલ્લેખ કાલિયમન અને ગોવર્ધનધારણને થયેલે છે.
ગુજરાતમાં મંદિરની છતોમાં કાલિયમર્દનનું મહત્ત્વપૂર્ણ સ્વરૂપ પ્રદર્શિત કરાયેલું જોવા મળે છે. એમાં ઓડદર(તા. પોરબંદર જિ. જૂનાગઢ), વંથલી(જિ. જૂનાગઢ), મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા), અંબાસણ, ભીમાસણ (જિ. મહેસાણા) અને મૂલમાધવપુર (સૌરાષ્ટ્ર) તેમજ જે. જે. વિદ્યાભવન, અમદાવાદ અને જૂનાગઢ મ્યુઝિયમમાં રજુ થયેલ કાલિયમનનું સ્વરૂપ અત્રે ઉ
ઓડદરમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના દ્વારમંડપની છતમાં કાલિયમર્દનનું શિ૯૫ કંડારેલું છે. એમાં કણની મુખાકૃતિ બાલ સ્વરૂપની નહીં પરંતુ પ્રૌઢ સ્વરૂપની જણાય છે. મસ્તકે કિરીટ મકટ, ગળામાં કંઠહાર અને મસ્તક પાછળ પ્રભામંડળ દેખાય છે. દિભૂજ કૃષ્ણ વૃદ્ધ કાલીય નાગની કુણા પર વીરાસનમાં વિરાજમાન છે. શ્રીકૃષ્ણને જમણે હાથ કદંબ વૃક્ષની ડાળ પર છે અને ડાબા હાથ કાલીયની ફણા ઉપર રાખે છે. કાલીય વૃદ્ધ દેખાતા માનવના રૂપમાં રજૂ થયેલ છે અને અંજલિ મદ્રામાં છે. બંને બાજ ત્રણ ત્રણ એમ છ નાગણીઓ કાણુને પ્રાર્થના કરતી દર્શાવાઈ છે. કાલિયમનને આ સહુથી પ્રાચીન શિલ્પકિન હોવાનું જણાય છે.
વંથલી (જિ. જુનાગઢ)માંની બાણ વાવમાં ૧૦મી સદીનું કાલિયમર્દનનું શિલ્પ કંડારેલું છે. અહીં પણ કૃષ્ણનું સ્વરૂપે પ્રૌઢ માનવના જેવું લાગે છે. એમાં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથથી પ્રાય: કદંબની ડાળને પકડી હોય તેવું લાગે છે. નીચલા જમણા હાથમાં પણ સ્પષ્ટ જણાય છે. ઉપલે ડાબે હાથ તૂટેલે છે, જ્યારે નીચલા ડાબા હાથમાં ચક્ર છે. કાલિયનું સ્વરૂપ વૃદ્ધ દર્શાવાયું છે અને તેઓ અંજલિ મુદ્રામાં બેઠેલા છે.૩
મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા)માં નારાયણ મંદિરની છતમાં કાલિયમર્દનનું ઈસવી સનની ૧૧ મી સદીનું શિપ ઉપલબ્ધ છે. અહીં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે અને એમનું સ્વરૂપ પ્રૌઢ * ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલો. ૧૬૪]
[સામીપ્ય : કટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only