________________
સમાધિ–સાધના
પહેાર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ મંત્રની, ૨૮ માળા પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ’મંત્રની અને ૫ માળા આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,’ મંત્રની એમ છત્રીશ માળા ફેરવવી. તેટલી જ (૩૬) દિવાળીને દિવસે સાંજે અને છત્રીશ એકમની સાંજે એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી
તે છત્રીશ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હાય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલેાકની વાંછા–નિયાણું ન કરે, ત્રણે દિવસ યથાશક્તિ તપ કરે, ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણે દિવસ ગાળે તે તે સમાધિમરણની તૈયારી છે.
.
૬૦
જૈન વ્રત કથામાં જેમ ઘણા દુઃખિયાએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુ મુનિઓએ જણાવેલા વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ ત્રણે દિવસ આત્મસિદ્ધિ વગેરેના નિત્યક્રમ પણ ચાલુ રાખવા.
‘જગત આત્મારૂપ માનવામાં આવે,’ પરને પુદ્ગલમાં કાઢી નાખી આત્માને જોવા. જોનાર હાય તા જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ છે તે બદલી નાખવી, ફરવું પડશે. ‘સહાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે ખની શકે તેમ છે. પછી જે માકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.