Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમાધિ-સાધના
૨૮૫
વિજ્ઞાનઘનના ઓઘમાં અજ્ઞાન મગ્ન થયું હવે, તે બધું પહેલાનું નથી કંઈ, કંઈ નથી જ ખરે હવે. ર૭૭ નિજ શક્તિ વસ્તુતત્વ સૂચવે શબ્દ તેણે તે અહીં, વ્યાખ્યા રચી આ સમયસાર તણી, કૃતિ એ મુજ નહીં; જે ગુપ્ત નિજ સ્વરૂપમાં, કર્તવ્ય પર નહિ રાચતા, અમૃતચંદ્ર સૂરિ સદા સહજાન્મ મગ્ન વિરાજતા. ર૭૮
પ્રશસ્તિ દેહી છતાં ય વિદેહી નિશ્ચલ શાંત શીતળ લહી દશા, આત્મસ્થ યોગીવર્ય અનુપમ સ્વાનુભૂતિ સુખ લસ્યા, તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર અચિંત્ય આત્મદશા વર્યો, શાંતિ સમાધિ મગ્ન અદ્ભુત સ્વરૂપમણે જે ઠર્યા. ૧ વ્યાઘાદિ હિંસક પ્રાણી પણ શાંતિ સમાધિ નીરખતાં, અતિશાંત થઈ પ્રભુ ચરણમાં નમી, શ્રેય અદ્દભુત પામતાં; એ શી અસંગ વિદેહી નિર્મળ આત્મમગ્ન દશા અહે ! અવલંબને આત્માથી, ત્યાગી ભ્રાન્તિ, આત્મદશા લહે. ૨ લઘુરાજજી જાગૃત થઈ, શરણે રહી, સ્વદશા લહી, આત્માથીજન ઉપકારી નિજપર શ્રેય સર્વોપરી ચહી; આ તીર્થ શ્રીમદ્ રાજ આશ્રમ સ્થાપી શ્રેયસ્કર બન્યા, ગુરુવર કૃપાળુદેવ આજ્ઞા માર્ગ જી વિરમ્યા. ૩ - ઉદુષણ અત્યંત કીધી, અંત સુધી જે ફરી ફરી, આત્માથીઓએ તે પકડ નિશ્ચલ કરી ઉરમાં ઘરી; “નિજ માન્યતા મિથ્યા અનાદિની હવે તે ટાળવા, કટિબદ્ધ થઈ જાગૃત થા, હે જીવ! સ્વરૂપ નિહાળવા. ૪

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344