Book Title: Raj Hriday Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 9
________________ સોભાગભાઈનું ચિત્ત વ્યાકુળ તેમ જ અશાંત રહેતું. બાહ્ય ઉપાધિનો ઉદ્વેગ ફરી ફરી પરેશાન કરતો. નિખાલસ, સત્યનિષ્ઠ સોભાગભાઈએ તે વૃત્તિઓનું દમન ન કરતા જ્યારે જ્યારે તે અર્થની અનર્થ કામના ઉભી થતી ત્યારે ત્યારે વંચના કર્યા વગર સદગુરુ શ્રીમદ્જીને જણાવતા. તેનું પરિણામ એ આવ્યું કે આત્મનિષ્ઠ, નિસ્પૃહ શ્રીમદ્જીએ પત્રો વડે પરમ સંતોષ આપનારા અને ભકિતને જાગૃત કરી આત્માના લક્ષમાં સ્થિર કરાવે એવા બોધવચનો પુનઃ પુનઃ લખી મોકલ્યા, જે માત્ર સ્ફટિક જેવા પારદર્શી સોભાગભાઈનું જ નહીં, પણ જગતના તમામ મુમુક્ષુઓની મુમુક્ષુતાનું રક્ષણ કરી રહ્યા છે. સદગુરુની અમીદૃષ્ટિ આત્મ ચારિત્ર પર લાગેલા દોષ કે ડાઘથી ત્યારે જ મુકત કરાવે છે, કે જ્યારે પ્રશ્ચાતાપને પ્રાયશ્ચિત ભાવે શિષ્ય નિર્દભપણે તેનો એકરાર કરે છે. સંપ્રદાય તથા વાડાઓમાં વહેંચાઈને વિસરાઈ ગયેલા મૂળ આત્મધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવા શ્રીમજી જેવા આપ્ત પુરુષ જ સમર્થ છે એવું હૃદયસખા સોભાગભાઈ જાણતા હતા. તેથી શ્રીમજીને જગતના મુમુક્ષુ આત્માઓને ઉપદેશવા, પ્રગટ રીતે બહાર આવવા વિનંતી કરતા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી ક્રિયા જડત્વ અને શુષ્કજ્ઞાનીપણામાં ફસાયેલા બંધી મતાથ આત્માઓ યથાયોગ્ય ધર્માચરણથી આત્માર્થ સાધી શકે તેમ છે એવો સોભાગભાઈને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેથી જ બોધીબીજનું ઠામઠામ નિરુપણ કરી પંચમકાળનું બોધિ દુર્લભપણુ દૂર કરવા માટે શ્રીમદ્જીને ફરી ફરીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતા. મુમુક્ષુઓના પરમ બાંધવ શ્રી સોભાગભાઈ કરતાં પણ અનેકગણી ફીકર પરમ કરુણાદ્ર શ્રીમદ્જીને હતી. નિવૃત્તિ માટે કયારે પોતાનો ઉદયકર્મ સાથ આપશે તેની નિષ્કામ શ્રીમદ્જી તાકીદથી રાહ જોતા. સત્ય સનાતન ધર્મઉદ્યોતના મહાકાર્ય માટે જ્ઞાન ભાસ્કર શ્રીમદ્જી આત્મશકિતનો સંચય કરતા હતા. સર્વસંગનો પરિત્યાગ કરી મૂળમાર્ગની પ્રવર્તના થાય તે પહેલાં જ આયુષ્ય પૂર્ણ થયું છતાંએ ગુરુગૌતમ આદિ ગણધરના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org આ ,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80