Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 66
________________ પપદનો અમૃત પત્ર મુનિશ્રી લલ્લુજી મહારાજ સુરતમાં બિરાજેલા હતા. મુનિશ્રીના સમાન નામધારી સુરતના શ્રાવક શ્રી લલ્લુભાઇ ઝવેરી દસ-બાર મહિના બીમાર રહ્યા અને ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. મુનિશ્રી સ્વયં પણ સ-બાર મહિનાથી બીમાર હતા તેથી એમને ચિંતા થઈ કે ‘શું મારો પણ સમ્યક્ટર્શન પામ્યા પહેલા દેહ છૂટી જશે?” તેથી પરમકૃપાળુદેવને સમકિત પ્રાપ્ત કરાવવા પોતે વિનંતિભર્યો પત્ર લખાવે છે. તેના ઉત્તરરૂપે અનંતકૃપા કરી શ્રીમદ્જીએ મુનિરાજને છ પદનો પત્ર લખ્યો. તત્વની ગહન વિચારણા આ છે પદના પત્રમાં છે. “આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોકતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે.” આ છ પદને મહાપ્રવચન ગણાવી તેના પર ચિંતન, મનન અને મુખપાઠ કરવાની સોભાગભાઇ, અંબાલાલભાઇ, લલ્લુજીમુનિ આદિ મુમુક્ષુઓને આજ્ઞા કરી. Jain Education International For Persey & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80