Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 76
________________ પૂ. શ્રી સોભાગભાઈને ભવ્ય શ્રધ્ધાંજલી પોતાના પરમાર્થસખાના વિયોગને શ્રીમદ્જીએ જ્ઞાનબળથી જાણી લીધું. રોજ ગરમ પાણીથી સ્નાન કરતા શ્રીમદ્જી તે સમયે પહેરેલા કપડા સાથે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા. ત્યારપછી થોડા કલાક બાદ શ્રી સોભાગભાઇના દેહાંતનો તાર મળ્યો. શ્રી સોભાગભાઇના વિરહનો પરમાર્થ ખેદ સૌથી વધારે કોઇએ અનુભવ્યો હોય તો તે નિર્મોહસ્વરૂપ સંવેદનશીલ શ્રીમદ્જીએ. શ્રી સોભાગભાઇને અંજલિ આપતા તેઓ લખે છે કે, “આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરૂવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થાય છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે. અને એમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે, જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણાવખત સુધી રહેવા યોગ્ય છે.” આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.” શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (પત્રાંક : ૭૮૨, વર્ષ ૩૦મું) Jain Education International For Persoey Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80