Book Title: Raj Hriday
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 11
________________ * યોગાશ્રમ પરિચય * રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. ગૃહવાસના ઉદય સુધી પરમાર્થ પ્રસંગમાં અપ્રગટ રહેવા ઈચ્છતા શ્રીમદ્જીના ઉત્તમોત્તમ પત્ર સાહિત્યનો મોટો ભાગ શ્રી સોભાગભાઈને સંબોધીને લખાયો છે. આ પત્ર વ્યવહારમાં શ્રીમદ્જીએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મળે કેળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. વીતરાગ ભગવાન મહાવીરે પ્રરુપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉબોધ્યો છે. સોભાગભાઈની જ્ઞાનગુરુઓની પરંપરામાં સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (૫.પૂ.બાપુજી)એ મુમુક્ષુઓ પુરુષાથી બને એ હેતુએ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડીસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ. સદગુરુ શ્રીમદ્જી તથા પરમસખા અને સુશિષ્ય શ્રી સૌભાગ્યની પરમાર્થ જોડીની સ્મૃતિને જીવંત રાખવાનો આ શુભોત્તમ પ્રયત્ન છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ૮-એ પર રાજકોટથી ૮૫ કી.મી. અને અમદાવાદ થી ૧૩૫ કીમી. અને સુરેન્દ્રનગર થી ૩૨ કી.મી. પર આવેલ સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમનાં પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને Jain Education International For Personal & Pricate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80