Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 13
________________ (૫૧) આજ્ઞા આજ્ઞા મનાવે કેમ? પિતાએ સૌ દીધું રે, પિતાએ પિતા કહે તેમ થાય; પિતાએ શું કીધું રે? પિતાએ. ૧૯ અર્થ :- ઋષભદેવ પ્રભુના અઠ્ઠાણું પુત્રો વનમાં પ્રભુ પાસે ફરિયાદ કરવા ગયા કે ભરત અમારી સામે થયા છે. તે અમને પોતાની આજ્ઞા માનવા કેમ કહે છે? પિતાએ સૌ વહેંચીને આપ્યું છે, તો હવે પિતા કહેશે તેમ થશે. એમ ઘારીને પિતા પાસે ગયા ત્યારે પિતાએ શું કહ્યું? “ષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો “અમને રાજ આપો” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીઘા! જુઓ મોટા પુરુષની કરુણા! (વ.પૃ.૭૦૨) I/૧૯I “હે જીવો! પામો બોઘ, આ બોઘનો યોગ છે રે, આ દુર્લભ માનવ જન્મ, ભવે ભય, શોક છે રે; ભવે અજ્ઞાનથી ન પમાય વિવેક, વિચારજો રે, વિવેક એકાન્ત દુઃખથી લોક બઘો બળે, ઘારજો રે. બઘો. ૨૦ અર્થ :- ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને બોધ આપ્યો કે હે જીવો! તમે બોઘ પામો, અર્થાત મૂળભૂત તત્ત્વને સમજો. આ બોઘનો સમય છે. દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. બાકી તો ચારેય ગતિઓ ભય અને શોકથી જ ભરેલી છે. અનાદિ અજ્ઞાનના કારણે જડ ચેતનનો વિવેક પ્રગટતો નથી. માટે આ વાતને ખૂબ વિચારજો. આખો લોક રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળી રહ્યો છે એ વાતને પણ વિચારી દ્રઢપણે મનમાં ઘારણ કરજો. “હે જીવો! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ” પોતપોતાનાં કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (વ.પૃ.૩૯૩) I/૨૦ll પોતે પોતાનાં કર્મ કરેલાં ભોગવે રે, કરેલાં ભૂલી સ્વભાવનું સુખ, વિભાવ અનુભવે રે; વિભવ, કોઈ કહે : “હું દેવ', કોઈ કહે “નારકી’ રે, કોઈ કોઈ બન્યા છે ઢોર, કોઈ નર પાતકી રે. કોઈ૨૧ અર્થ :- જીવો પોતાના કરેલા કર્મોને ભોગવે છે. પોતાના આત્મ સ્વભાવનું અનંતસુખ ભૂલી જઈ રાગદ્વેષવાળા વિભાવમાં ક્ષણિક સુખની કલ્પના કરીને સરવાળે દુ:ખ જ અનુભવે છે. કોઈ કહે હું દેવ છું, કોઈ કહે હું નારકી છું, કોઈ કર્મ વિપાકે ઢોર બન્યા છે. તો કોઈ વળી મનુષ્ય બનીને પણ પાતકી એટલે પાપમાં જ રાચી રહી દિવસો પસાર કરી રહ્યાં છે. પોતાના સ્વરૂપને ન જાણવાથી અજ્ઞાનવશ જીવ જે દેહ ઘારણ કરે તેમાં પોતાપણું માની રાગદ્વેષ કરી ચારગતિમાં જ રઝળ્યા કરે છે. મારા જેને મળ્યો સુંયોગ વિપર્યાસ ટાળતા રે, વિપર્યાસ ગ્રહી મુનિનો માર્ગ તે કર્મો બાળતા રે; તે કર્મો ચૂકો હવે તમે કેમ? સ્વરૂપને ઓળખો રે, સ્વરૂપને માયિક સુખની આશ તજે ના તે મૂરખો રે.” તજે. ૨૨ અર્થ :- જેને જ્ઞાની પુરુષનો સુયોગ મળ્યો છે તે વિપર્યાસ કહેતા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ વિપરીત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 208