Book Title: Pragnav Bodh Part 02 - Pages From 001 to 208
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 14
________________ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બુદ્ધિને ટાળે છે. અને સમ્યગુદર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાઘવા જ્ઞાની ગુરુના આશ્રયે મુનિપણાનો માર્ગ સ્વીકારી જ્ઞાનાવરણિયાદિ કર્મોને શીધ્ર બાળે છે. શ્રી ઋષભદેવ ભગવાન પોતાના અઠ્ઠાણું પુત્રોને કહે છે કે હે આયુષ્યમનો! આવા મુનિપણાના અવસરને તમે કેમ ચૂકો છો? હવે તો પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ કરો. કલ્પિત એવા માયામોહવાળા માયિક એટલે સાંસારિક મૃગતૃષ્ણા જેવા સુખની આશાને હવે જો ના તજે તો તે ખરેખરો મૂર્ખ છે. ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલોજી” તેના જેવું છે. સંસારનું ઇન્દ્રિય સુખ તે ખરજવાની મીઠી ખાજ ખણી, છોલીને દુઃખ ભોગવે તેવું છે. અથવા કૂતરું હાડકું ચાવી પોતાના જ મોઢામાંથી નીકળેલ લોહી ચૂસી આનંદ માને તેના જેવું આ ઇન્દ્રિય સુખ છે. /રરા સુણી શિખામણ સર્વ અઠ્ઠાણું ત્યાં રહ્યા રે, અઠ્ઠાણું આજ્ઞા પ્રભુની માન્ય કરી મુનિ તે થયા રે; કરી. પ્રગટ્યો સર્વને ઘર્મ એ આજ્ઞા ઉઠાવતાં રે, એક પામ્યા સર્વે મોક્ષ તે કર્મ ખપાવતાં રે. તે કર્મ. ૨૩ અર્થ :- શ્રી ઋષભદેવ ભગવાનની શિખામણ સાંભળીને અઠ્ઠાણુંય પુત્રો ત્યાં જ રહ્યા. પ્રભુની આજ્ઞા માન્ય કરીને બધા મુનિ થઈ ગયા. “સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યાં છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” (વ.પૃ.૨૬૦) સર્વ પુત્રોને ભગવાનની આજ્ઞા ઉઠાવતાં આત્મઘર્મ પ્રગટ્યો અને સર્વે કર્મો ખપાવીને મોક્ષપદને પણ પામી ગયા. /૨૩. આજ્ઞા વિના ભવ-હેતુ બને વ્રતાદિ મહા રે, બને. ઉપકરણોનો સમૂહ મેરુ સમ જો અહા! રે; મેરુ સૌ ભૂત-ભવ-પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે! રે, થયો. તો ય ન ચેતે કેમ? હજી ચેતન અરે! રે. હજી ૨૪ અર્થ :- સત્પરુષની આજ્ઞા આરાધ્યા વિના અજ્ઞાનીના વ્રત, તપ, જપ, સંયમાદિ સર્વ સંસારના કારણ બને છે. મેરુ પર્વત સમાન ઓઘા મુપતિના ઉપકરણો અનેક ભવોના મળી ઘારણ કર્યા છતાં હજુ સંસારના દુઃખોથી જીવ છૂટી શક્યો નથી. “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સ” મળ્યા નથી, “સત્ય” સુપ્યું નથી, અને ‘સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) સર્વ ભૂતકાળના ભાવોમાં કરેલા પુરુષાર્થ નિષ્ફળ ગયા છે. તોય હજી આ ચેતન આવો અવસર મળ્યા છતાં કેમ ચેતતો નથી? એ જ આશ્ચર્ય છે. “જ્યાં સુથી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુઘી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.” (વ.પૃ.૨૬૨)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 208