Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 472
________________ ૧૬ ભાંગફોડીયા પ્રવૃત્તિઓ માટે છૂપી રીતે ફંડફાળો એકઠો કરીને તેમને પહોંચાડતા. જાપાનથી આવેલા હોવાથી, સુભાષચંદ્ર બોઝના સાગરીત હોવાના સંશયથી પોલીસે ધરપકડ કરીને લાલ કિલ્લા અને ત્યારબાદ નાશિકની જેલમાં અંધારી કોટડીમાં ત્રણ વર્ષો સુધી એકાંતવાસમાં ધકેલી દીધા, અને ભયંકર યાતનાઓ આપી તથા માહિતી મેળવવા જુલમો ગુજાર્યા. સર્વે હસતે મુખે સહન કર્યા. લાલ કિલ્લાના ભયંકર ભોજનના કા૨ણે શ૨ી૨ ૫૨ સફેદ કોઢ નીકળી આવ્યો. પરંતુ નાનપણમાં માતાને આપેલ કોલ પ્રમાશે ત્યાં નવ લાખ નવકારના જાપ કર્યાં, જેથી ખૂબ જ માનસિક શાંતિ અને જુલમો સહેવા માટે મનોબળ મળ્યું. આઝાદી બાદ જેલમાંથી છૂટીને કૌટુંબિક ધંધા સાથે વિવિધ રચનાત્મક કાર્યો. દા. ત. મુંબઈના પ્રથમ મુખ્ય પ્રધાન શ્રી બી. જી. ખૈરની ઈચ્છાનુસાર દુષ્કાળ નિવારણ તથા અન્ય સમાજો દ્વારના કાર્યોમાં ઓતપ્રોત થયા. ભાઈઓ સાથે મળીને મુંબઈ (માહિમ)માં ‘જસ્મીન સિલ્ક મિલ' તથા ગણદેવી (દ. ગુજરાત)માં ‘વાણિયા સિલ્ક મિલ' ઊભી કરી, જેમણે વેપારી જગતમાં દેશમાં તથા પરદેશમાં નામના મેળવી. પરંતુ જીવ સમાજસેવાનો એટલે કૌટુંબિક ધંધામાં રોજ આશરે છ કલાક આપીને બાકીનો સમય રચનાત્મક પ્રવૃત્તિઓમાં આપવા લાગ્યા. પ્રબુદ્ધ જીવન પ્રવાસ કર્યો. નવેમ્બર, ૨૦૧૨ જીવન પલટો કોઈક પુણ્યના ઉદયે, જન્મ સ્થાનકવાસી હોવા છતાંય પ. પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના વ્યાખ્યાનોમાં નિયમિત જવા લાગ્યા, અને ધર્મના માર્ગે ચાલ્યા. શ્રી સૂરિજીના બહારગામ ખાતેના ચોમાસા દરમ્યાન લગભગ ચાર વખત તેઓશ્રી સાથે ચાતુર્માસ કર્યો. શ્રી ગોવિંદજી જેવત ખોનાના પાલિતાણાના પગપાળા સંઘમાં જોડાયા. સંઘના નિયમો અનુસાર, ઉંઘાડા પગે ચાલવાનું હોવાથી પગમાં છાલા અને ફોલ્લા પડ્યા. શ્રી સૂરિજીએ એમને ચપ્પલ પહે૨વાની છૂટ આપી હોવા છતાંય સંપૂર્ણ સંઘ યાત્રા ભયંકર યાતના છતાંય ઉંધાડા પગે પગપાળા જ કરી. ધર્મનો રંગ વધતો જતો હતો, ૭૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ભાવના જાગી. શ્રી સૂરિ સમક્ષ ભાવના વ્યક્ત કરી, સાથે સાથે એ પણ જણાવ્યું કે, સફેદ કોઢ ઉપરાંત ડાયાબિટીઝ, ત્રણ વખતના હાર્ટ એટેક, હર્નિયાનું આંપરેશન, ઘસાયેલ ચાર મણકાના રોગોમાં સપડાયેલા છે. પરંતુ શ્રી સૂરિજીએ હૈયાધારણ આપીને જણાવ્યું કે, જરૂર પડશે તો બે શિષ્યો તેમની વૈયાવચ્ચમાં રાખશે. વાત સાંભળીને અન્ય આગેવાન શિષ્યોએ ભીતિ દર્શાવી કે, જે જે આઝાદી ચળવળ અને જેલ વસવાટ દરમ્યાન મોરારજીભાઈ દેસાઈ,માણસ મોટ૨-વિમાનમાં જ મુસાફરી કરે છે, એ.સી. રૂમમાં રહે છે, વૈકુંઠભાઈ મહેતા વિ.ના સંપર્કમાં આવેલા. જેઓ એમની કાબેલિયત, ફ્રીઝનું જ પાણી પીવે છે, આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને ચૉકલેટનો વેપારી કુનેહ, પ્રમાશિકતા વિગેરે ગુોથી પ્રભાવિત થયેલા. શ્રી શોખીન છે તે દીક્ષા કેમ પાળી શકશે ? પરંતુ શ્રી સૂરિજીએ હૈયાધારણ વૈકુંઠભાઈ મહેતાના પ્રમુખપણા હેઠળ સ્થપાયેલ ‘ખાદી એન્ડ ગ્રામોદ્યોગ આપી. એમને ચેતવવામાં આવ્યા કે, ઉંમરમાં નાના પણ દીક્ષા જીવનમાં કમિશનમાં એમને સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી, જે મોટા એવા સાધુઓને નમવું પડશે, બીમાર સાધુઓની વૈયાવચ્ચ કરવી તેમણે કોઈપણ જાતનું વળતર તથા ખર્ચ પેટે અલાઉન્સ લીધા વગર પડશે, કોઈ ટીકા-ટીપ્પણ કરે તો શાંતિથી સાંભળી લેવું પડશે. તે ૧૭/૧૮ વર્ષ માનદ્ રીતે સંભાળી. મુંબઈના કોટ વિસ્તારમાં ખાદી છતાંય દીક્ષા લેવાના નિર્ણયમાં તેઓ મક્કમ રહ્યા. ભંડાર તથા કાંદિવલી ખાતે કોરા કેન્દ્ર ચાલુ કરીને સફળતાપૂર્વક તેમનું સંચાલન સંભાળ્યું. તા. ૯-૫-૮૧ના શુભ દિને ૭૨ વર્ષની વયે ભીલડીયાજીમાં દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી પુણ્યદર્શન વિજય નામ ધારણ કર્યું. દીક્ષા લીધા બાદ શાસ્ત્રોનો સારો એવો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષના દીક્ષાર્થી જીવન બાદ આત્માનું કલ્યાણ સાધી કાળધર્મ પામ્યા. ધન્ય છે એવા જીવને તથા એમને જન્મ આપનાર માતાપિતાને (એઓશ્રીનું જીવન ચરિત્ર આલેખતા પુસ્તક ‘પ્રેરક પરિવર્તન’નો આભાર સંક્તિકરણ), ૩૮, પટવા ચૅમ્બર્સ, ક્લાઈવ રોડ, મસ્જીદ બંદર, મુંબઈ-૪૦૦૦૦૯. મોબાઈલ :9930302562 ચોખાની જાપાનીઝ પદ્ધતિથી ખેતીના અભ્યાસ માટે એમના પ્રમમુખપણા હેઠળ જાપાન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા એક અભ્યાસ જુથ મોકલવામાં આવ્યું, જેના માટે તેઓ જાપાન ખાતે છ મહિના રોકાયા. પાછા આવીને કોરા કેન્દ્ર ખાતે જાપાનીસ પતિથી ચોખાની ખેતી ચાલુ કરીને વધુ ઉત્પાદન કરવાનો દેશના વિવિધ ભાગના ખેડૂતોને કિમીયો બતાવ્યો. દુનિયાના અનેક દેશોનો ધંધાર્થે તથા રચનાત્મક પ્રવૃત્તિઓ માટે અપરંપાર કષ્ટસહનની વધુમાં વધુ શક્તિ સંસારમાં સ્ત્રીના કરતાં બીજું કોણ બતાવે છે ? નવ માસ પૂર્ખ ધારણ કરીને અને જીવનરસ નિચોવી નિચોવીને એને પોીને, અને વળી એમાં રહેલા કષ્ટમાં જ અનેરું સુખ અને આનંદ માનીને, તે શક્તિનાં એ આપણને દર્શન કરાવે છે. જન્મ પછી પણ બાળક અહોરાત્ર પોષાય, રક્ષાય અને મોટું થાય એ સારું રોજેરોજ એની ધાત્રી બનીને બીજું કોણ અનંત કષ્ટ સહન કરે છે ? એ નિરવષ્ટિ પ્રેમનો સ્રોત તે આખી માનવજાતિ તરફ વાળે, એટલી જ વાર છે. શાંતિને સારુ તલખતી દુનિયાને સુધામૃત પાવું એ જ એનું કાર્યક્ષેત્ર છે. -મો. ક. ગાંધી

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528