Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 498
________________ ડિસેમ્બર, ૨૦૧૨ બંધારણ સભાના ચેરમેન તરીકે ડૉ. આંબેડકરને ભારતીય ચાલતો હોય હોય અને બીજી તરફ પ્રધાનપદું પણ.) પ્રધાનમંડળની નિમણૂક સંસદના બહારના સભ્યોમાંથી લેવાની બંધારણના ઘડવૈયાઓ'માં અગ્રેસર ગાવામાં આવે છે. પણ હકીકતમાં પ્રબુદ્ધ જીવન પ્રથા જાપાન જેવી સંસદીય પદ્ધતિને વરેલા દેશમાં પણ સ્વીકારવામાં ડૉ. આંબેડકરે ૨ જી સપ્ટેમ્બર ૧૯૫૩માં જે શબ્દો ઉચ્ચાર્યા તે આ આવી છે. માન્યતાનું સંપૂર્ણ ખંડન કરે છે. મારા મિત્રો મને કહે છે કે આ બંધારણનું ઘડતર મારા હાથે થયું છે પણ આ બંધારણ મને બિલકુલ પસંદ નથી. એ કોઈને પન્ના અનુકૂળ આવે તેવું નથી. આને જો બાળીને નષ્ટ કરવું હોય તો તેમાં હું પહેલ કરવા પણ તૈયાર છું.’ (શ્રી અરુણ શૌરીએ ૨૦૦૭માં લખેલ ‘સંસદીય લોકશાહી' પુસ્તક પૃ. ૧૮) આજે જો ડૉ. આંબેડકર જીવતા હોત અને આ બંધારણની ફલશ્રુતિ તરીકે આપણે અપનાવેલ સંસદીય શાસન પ્રણાલીમાં જે રીતની ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને રાજકારણીઓએ લાભ ઉઠાવ્યો છે તે જોતા આ શાસન પતિ બદલવા માટે તેઓ જેહાદ ઉઠાવત તેમાં કોઈ શંકા નથી. ભ્રષ્ટાચારને કાબુમાં રાખવા માટે લોકપાલની સાથે સાથે હાલની શાસન પદ્ધતિમાં પરિવર્તન લાવવું વધારે અગત્યનું છે. આજે જ્યારે રાજ્ય કે કેન્દ્ર સ્તરે પ્રમાણિક પ્રધાન શોધવો મુશ્કેલ છે અને લાખો સરકારી બાબુઓનો ખૂબ મોટો વર્ગ ભ્રષ્ટ છે તો લોકપાલ કેટલા પ્રધાનો કે સરકારી બાબુઓ સામે કાર્યગીરી કરતો રહેશે? આપન્ને કેટલા લોકપાલો નિમણું અને તે માટે કેટલો મોટો સ્ટાફ ઉભો કરશું અને તે પણ ભ્રષ્ટ નહિ રહે તેની ખાતરી શું ? જ્યા સુધી આજની શાસન પદ્ધતિમાં મૂળભૂત પરિવર્તન નહિ આવે ત્યાં સુધી ‘રાજા” કે ‘કલમાડી’ કે ‘સુખરામ’ કે ‘યેદુરપ્પા’ કે “મધુ કોડા' ને પણ સારા કહેવડાવે તેવા ભ્રષ્ટ રાજકારણીઓ ફરી ફરી આવતા રહેશે અને આપણા પર રાજ્ય કરતા જ રહેશે. અન્ના અને એની ટીમે આ હકીકત પર વધારે પ્રાધાન્ય આપવાની જરૂર છે. પહેલેથી જ યોગ્ય અને પ્રમાણિક વ્યક્તિનો પ્રધાનમંડળમાં સમાવેશ થઈ શકે એવી શાસન પદ્ધતિની તાતી જરૂરિયાત છે અને ત્યાર પછી પણ ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવે તો લોકપાલની કાર્યગીરી સીમિત રહે પણ વધારે અસરકારક નીવડે. ભ્રષ્ટાચાર નિવારણ માટે અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે શું કહ્યું હતું? ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલાં પ્રધાનોના વ્યક્તિત્વ અને તેની પ્રજા ૫૨ થતી અસર વિષે જે કહ્યું છે તે આજે પણ એટલું જ વાસ્તવિક અને પ્રસ્તુત છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ પ્રધાન પોતાના કર્તવ્યોથી વિમુખ થાય, પોતાનો સ્વાર્થ સાથે કે લાંચ લે તો તેને લીધે જનતાનું નૈતિક ધોરણ પણ નીચું જાય છે. પ્રજા છેતરપિંડી અને દગાબાજી ઝડપથી શીખી જાય છે, બળવાન નિર્બળો પર દાદાગીરી કરે છે. ધનવાન ગરીબોનો લાભ લે છે. ન્યાય ભાવના વિસરાઈ જાય છે. સંજોગો પણ એવા થઈ જાય છે કે વિશ્વસનીય પ્રધાનો જાહેર સેવામાંથી નિવૃત્તિ લઈ લે છે. સમજદાર વ્યક્તિઓ મૌન સેવે છે અને ખુશામતિયા અને કાવાદાવા કરનારાઓનું શાસન ચાલે છે. આ બધા પોતાના ગજવા ભરે છે અને લોકોના દુઃખદર્દની પરવા કરતા નથી. શાસન પ્રભાવહીન બની જાય છે. ન્યાયદંડ ધૂળમાં રગદોળાય છે. આવા શાસકો પ્રજાના સુખચેનના લૂંટારા છે. લૂંટારા કરતા પણ અધમ છે કે, કેમ કે આવા હીન કામ તેઓ સત્તાના સિંહાસનેથી કરે છે. રાજાનું કર્તવ્ય છે કે આવા પ્રધાનોને વીણી વીણીને ખતમ કરે.' ભગવાન બુદ્ધે આપેલા આ ઉપદેશ અક્ષરશઃ `THE TEACH સાચી પ્રમુખીય લોકશાહીમાં વહીવટી સત્તા અને વિધાયક સત્તા વચ્ચે સત્તાના યોગ્ય વિભાજનથી અંકુશો અને સમતુલા સચવાઈ રહે છે, અમેરિકા અને ફ્રાન્સે અપનાવેલ પ્રમુખીય લોકશાહીએ પ્રમુખીય શાસન તંત્રનો એક ઉમદા દાખલો પૂરી પાડ્યો છે. આ બંને લોકશાહીમાં સંસદને વહીવટી સત્તામાંથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવી છે પણ સાથે સાથે પ્રધાનમંડળને અંકુશમાં રાખવાની સત્તા સંસદને પ્રદાન ક૨વામાં આવી છે અને પ્રમુખને પ્રધાનમંડળના કોઈ પણ સભ્યને શામેલ કરતા પહેલાં સંસદની મંજુરી લેવી જરૂરી રહે છે. અહીં બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા માટેની લખેલી નોંધ ઘણી સુચક અને જાણે કે ભવિષ્યની આગાહી કરી હોય તેવું લાગે છે. તેનો ઉલ્લેખ થથાર્થ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, “નાતજાત અને સંપ્રદાર્થો વચ્ચેના ધર્ષણોને લક્ષમાં લેતાં ભારતની સંસદમાં અસંખ્ય પક્ષો અને જૂથો સસર્જાશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવી પરિસ્થિતિમાં,ING OF BUDDHA' માંથી લીધેલ છે. જે જાપાનમાં પ્રસિદ્ધ થયેલું અને જેની ૩૫ ભાષામાં આજસુધી ૮૦ લાખ નકલો પ્રકાશિત થઈ છે. એક વાત નિશ્ચિત છે કે આપણે અપનાવેલી સંસદીય પદ્ધતિમાં સ્થિર સરકાર હોવી મુશ્કેલ હશે. આવા પક્ષો અને જુથો પોતાના નજીવા સ્વાર્થ માટે અંદરોઅંદર લડતા રહેશે અને સરકારને ઉથલાવવાની પે૨વી કરતા રહેશે. વારંવાર પતન થતી સરકારથી દેશમાં અરાજકતા ફેલાશે. જો આમ બને તો, અમેરિકન ઢબની સરકાર કે જે પણ સંસદીય પતિ જેટલી જ શોકશાહીવાદી અને જવાબદાર શાસન પદ્ધતિ છે, તે આપણો વિકલ્પ બની રહેશે.’ ભગવાન બુદ્વના ઉપદેશની અસર તેમના નિર્વાા પછી ઘણો લાંબો સમય એટલે કે ઈ. સ. ની સાતમી થી આઠમી સદી સુધી ઘણી પ્રબળ હતી અને ભારતના ઘણા રાજાઓએ બૌદ્ધધર્મ સ્વીકારી તેના અનુયાયીઓ બન્યા હતા. આ યુગમાં સમ્રાટ અશોક, હર્ષવર્ધન વગેરે પ્રતિભાશાળી રાજાઓએ શાસન કર્યું હતું. આજે પણા આ યુગની ગોનો

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528