Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર પથિક (૩) શ્રી સુધાંશુકુમાર રાય અને અન્ય વિદ્વાનોએ કરેલા પ્રયત્નનું ફળ સતિષજનક નથી, દા.ત. શ્રી રાયે એક અભિલેખમાં પશુની આકૃતિ ઉપર લેખ આ રીતે વાંઓ છે : “ઉધરસ ખાનાર એકશિ ગે.” હકીકતમાં એ લખાણ આમ છે : “અત્રિ અગ્નિમાન અન.” આમાં * અત્રિ” એટલે “અન્નાદ' નામના અગ્નિનું એક સ્વરૂપ અને “અન” એટલે “પ્રાણ-અપાન-ઉદાન-ધ્યાન-સમાન ” આદિ પાંચ પ્રાણીના નામમાં આવતુ ઉત્તરપદ; (૪) જેટલી વાચના થઈ છે એનો અર્થ એ નીકળે છે કે સિધુ અભિલેખમાં બ્રાહ્મણ ગ્રંથ અને ઉપનિષદોના પ્રતીકો સારી પેઠે મળી આવે છે; હરપામાંથી અને મહેન-જો-દડાને નીચલા થરમાંથી; (૫) દાર્શનિક કે ધાર્મિક તત્વ તરફ સંકેત ન કરતે હેય એવો એક પણ અભિલેખ નથી; (૬) અગ્નિ, ઇન્દ્ર, વૃત્ર, વરુણ, અપ જેવા શબ્દ બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથમાં જે અર્થમાં વપરાયેલા છે એ જ અર્થમાં, મે હેન-જો-દડો અને હરપામાંથી મળી આવેલા અભિલેખામાં વપરાયેલા છે. એના ઉપરથી સિંધુ સભ્યતા ઉત્તર વૈદિક યુગની સિદ્ધ થાય છે. પરિણામે સંહિતાકલને ઈથી હજાર વર્ષ પૂર્વને માનવો પડે અને વિદિક લેકના મુળદેશની સમસ્યા ઉપર પુનઃ વિચાર કરવો પડે; (૭) ભારતની પ્રાચીન લિપિઓને વિકાસ કોઈ ચિત્રલિપિમાંથી નથી થયો. યુરોપ અને એશિયાની મોટાભાગની લિપિઓનો મૂળ આધાર, અકારના ઉચ્ચારણ માટે વપરાતાં અંગની આકૃતિ પર છે. દા.ત. સિધુલિપિમાં “અ”નાં ત્રણ સ્વરૂપ છે : (૧) ફારસી લિપિના અલિફની જેમ દંડાકાર, (૨) બ્રાહ્મીના “અ”ની જેમ બે વક્ર રેખાથી બનેલ, અને (૩) બે વક્ર રેખાની મદદથી બનતાં બે સ્વરૂપ : (ક) લાંબા તડબૂચની ઊભી આકૃતિ જેવું અને (ખ) વૃત્તાકાર. (૮) સિધુલિપિના કેટલાક વણેને આકાર આ રીતે નક્કી થયા છે :અ-બૃહદારણ્યક ઉપનિષદમાં નિર્ગુણ આત્માની પુરુષરૂપમાં ક૯પના કરી છે, જે ત્રણ રૂપ ધારણ કરવાથી ત્રણેના પ્રતીક રૂપે ઉપર્યુક્ત ત્રણ અ–કારનાં રૂપ બન્યાં છે. –આત્માની પરા-શક્તિને ઘાતક, ઉ–ોતિનું પ્રતીક, સંપુટાકાર “પ” વર્ણને અર્વાંશ “અ” વર્ણના સંપર્કમાં આવીને બે ભાગમાં વહેચાઈને બે ઉ–કાર બનાવે છે. બ્રાહ્મણગ્રંથમાં “ઉ” (ઉ) અગ્નિ, આદિત્ય તથા પ્રાણ નામની જાતિનું નામ છે. ઉ-કાર બનાવવા માટે નિખલ બ્રહ્મના પ્રતીકરૂપ અવર્ણની પરાશક્તિનું નામ “ ઉમા” માન્યું હશે. કેનેપનિષદ (૩૧૨) કહે છે : હું નિમતિ ઉતિ મા, ન– ૫” વર્ણની કેટલીક આકૃતિઓની એક બાજુ ‘ન’ મળ્યો છે. પૂર્વોક્ત પાંચ પ્રાણોના નામમાં ઉત્તરપદ તરીકે વપરાયેલ “અન , એ પ્રાણોમાં વ્યાપ્ત મૂળ યા પૂર્ણ પ્રાણ (ભૂમા)ને ઘાતક છે. બ્રાહ્મણગ્રંથમાં “અનશબ્દ યજ્ઞ વાચક છે. સિધુ અભિલેખમાં બે અપ'ની સાથે એક “અન” મેળવીને બાજુમાં “ યજ્ઞ' લખ્યું છે. “પ” વર્ણની આકૃતિની એક બાજુ “જ” અને બીજી બાજુ “ન” વર્ણ મળે છે. “મા” શબ્દની ઉત્પત્તિ “જન ' ધાતુમાંથી થયેલી મનાય છે, વ–વરૂણને બોધક. એમાં અપ” અને “અન’ને સંયોગ થ જરૂરી. અપ એટલે જલ. માટે વરૂણને સંબંધ જલ સાથે પણ છે. (૯) અભિલેખના લખાણને ધ્યાનમાં રાખીને મુદ્રાચિમાંના કેટલાંક પ્રતીકેનું અર્થધટન થઈ શકે. દા.ત. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90