________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથ
ડિસેમ્બર ૮૧ અંકગણિતની કેટલીક રીતે સમજાવી હતી જેના આધારે એ બંને એકબીજાએ સિંધુ અંક શૈલીમાં આપેલા દાખલા એ જ શૈલીમાં ગણી શકતા હતા ! - ૧૮. વિધાન ભાષાશાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણીના ઉલ્લેખ વિના આ લેખ અપૂર્ણ ગણાશે. એમણે સિધુલિપિ ઉકેલવાનો દાવો નથી કર્યો પરંતુ અમદાવાદ મુકામે શ્રી લા. દ. ભારતીય સંશોધન સંસ્થામાં તા. ૧-૩-૧૯૭૮ ના રોજ “ સિલ્વલિપિના ઉકેલની સમસ્યાઓ ' અંગે એક વિદ્વતાપૂર્ણ વાર્તાલાપ આપેલ હતો. એમણે જ મુવેલ કે લિધુલિપિ અને લિપિમત ભાષા અંગેના મોટા ભાગના પ્રયાસો અહર અટકળ રૂપના, તરંગી, થોડાક અંશે સદ્ધર વિજ્ઞાનિક અને થોડાક પૂરતી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિવાળા છે. ઉકેલની સમસ્યાઓ અંગે ગેમણે જણાવેલ કે એક બે લીટીને ટ્રક ટૂંકા જ લેખે હોવાથી એમને વિષય ઘણો મર્યાદિત હશે અને તદનુસાર એમાં વિવિધ શબ્દો, રૂપે, પ્રત્યેના વપરાશની શક્યતા ૫ ઘણી મર્યાદિત હોવાની લિપિની દિશા અંગે એમણે જણાવેલ કે શ્રી લાલના લેખમાં આ માટેના (દિશા જમણાથી ડાબી લેવા અંગેના) ચકકસ પુરાવા છે. લિપિ વર્ણાત્મક અને ભાવચિત્રાત્મક, મિશ્ર હેવાનો મત વધુ પ્રતીતિજનક હોવાનું તેઓ માને છે.
- ૧૯ શ્રી ભાયાણીએ માત્ર સમસ્યાઓનું જ વિવેચન કરેલું હોઈ એ અંગે મારે કોઈ ટીકા કરવાની થતી નથી, સિવાય કે શ્રી લાલના પુરાવા સદર હેવા અંગેનું તેમનું મન્ત. ઉપરાછાપરી લખાણના આધારે શ્રી લાલે કરેલા તકને શ્રી મહાદેવને રદિયો આપ્યો છે. ( જુઓ ઉપર ફકરા અાંક: ૧૦-(૬)-. (ક) વાળો ભાગ). - ર૦, રાજસ્થાનના કાલીબંગમાં મેં છ માસ સુધી મારા ગુરુ શ્રી લાલ અને શ્રી થાપરના વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન હેઠળ ઉખનન કાર્યની તાલીમ મેળવેલી. મારા બચપણથી જ મેં યજ્ઞ-વિધિમાં ભાગ લીધેલ. ઉખનન કાર્ય દરમિયાન કોઈ નાગરિકના જ મકાનમાંથી યજ્ઞકુંડ મળી આવતા ત્યારે મને -શા વિચારે નહિ આવતા હોય ? હરપ્પીય કિલ્લેબંધ શહેશે અનાર્યો કે દ્રાવિડનાં હોય અને માટે ઇકાદિ દેએ એને નાશ કર્યો હોય એમ મને ક્યારેય નથી જણાયું. મને લાગવા માંડયું હતું કે આ દેવઅસર એ તદ્દન ભિન્ન આનુવંશિક જાતિઓ હેય એમ ન પણ બને ! આદિકાળથી આજ સુધી એક સહજ નિયમ એવો છે કે યુદ્ધમાં જીતે એ દેવ અને હારે એ બહારવટિયા ( રાક્ષસ, દત્ય, અસુર : જે યોગ્ય લાગે તે નામ આપી દેવું ). જીતનારની તરફેણમાં અને હારનારની વિરુદ્ધમાં લેકમાનસ, લો સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય ઘડાતું જાય છે. એમાં હારનારના અવગુણોને મેટા કરીને બતાવવાને અતિરેક થાય છે. શરૂથી આ જ સુધીના આપણું સાહિત્યનું તટસ્થ, કશા જ પૂર્વગ્રહ વિના આપણે જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયાદિ ઘડીભર ભૂલી જઈને, નિરીક્ષણ કરવામાં આવે તે અનેક પ્રશ્નો ઉભા થશે : આખરે ભગવાન વિષ્ણુના મુખ્ય મુખ્ય અવતારમાંથી મોટા ભાગના ક્ષત્રિયોમાં જ કેમ થયા? શ્રી ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર સ્વામી કયા વર્ણના હતા? જૈનધર્મનાં મેટા ભાગના તીર્ષક, કન્યા વર્ણમાં થયા? હિરણ્યકશિપુ અને વાસુદેવ કૃષ્ણની ભાષા વચ્ચે કયો ફરક હતો? “ભગવાન” ગણાતા વિણ કોણ હતા જેમના આટલા બધા અવતાર થયા? વિષણની માફક બ્રહ્મા અને શિવના અવતારની પરંપરા કેમ નહિ? મૂળ બ્રહ્માના ઉપાસક હતા એ અસુરોને શિવને શરણે જતા કેમ બતાવ્યા છે ? શિવ અને બ્રહ્મા જેમને વરદાન આપે એમને નાશ બહુધા વિષ્ણુ કેમ કરતા હતા? વિષ્ણુ જે બ્રહ્મોપાસક કે શિવોપાસાનો નાશ કરે એમને વૈકુંઠમાં વાસ કેમ અપાતે હતે? દેવ-જાતિના વિષ્ણુનો અવતાર મનાતા અને યાદ રૂપી અસુરકુળમાં જન્મેલા વાસુદેવ વૃણે દેવ-રાજ ઈન્દ્રની પૂજાને વિરોધ કેમ કર્યું ?
For Private and Personal Use Only