Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર,૮૧ અને કાલીબંગાં મુકામે મોટાભાગની અને હરપ્પા મુકામે કેટલીક અદશ્ય થઈ ગઈ હતી; (૧૩) “માનવ ” અને “મસ્ય ’ની આકૃતિઓ શરૂઆતથી જ રૂપરેખામક હતી. એમાં માત્રાચિહ્નો લગા વવામાં આવતાં હતાં. એ બતાવે છે કે એ બંને આકૃતિઓ કવન્યાત્મક હતી અને મૂળાક્ષરની સ્થિતિએ પહોંચેલી હતી; (૧૪) પૂર્વ હરપ્પીય સમયની બાવન મૂળ સંજ્ઞાઓમાંથી ૪૦ નું ચિત્રાત્મક ન હોવું અન ૧૨ ચિત્રામા હોવા છતાં એને ઉપગ માત્રા-ચિહ્નો વિના થ –આ પરિસ્થિતિ બતાવે છે કે સિલ્યુલિપિ આંશિક રીતે સ્વાભક અને આંશિક રીતે મૂળાક્ષરી સ્થિતિ ન પામી હોય તો પણ જન્માક્ષરી તો હતી જ. ચિત્ર-સંજ્ઞાઓ શરૂઆતમાં એક ચોક્કસ વિચારને રજૂ કરતી સંજ્ઞાઓ હશે જે ધ્વન્યાક્ષરી કે મૂળાક્ષરી બની હશે; (૧૫) ઉત્તર હરપ્પીય સમયમાં ૨૦ મૂળ સંજ્ઞાઓ ૪૪ સ્વરૂપે વપરાતી હતી. મતલબ કે સંયુક્તાક્ષર અને માત્રા-ચિહોનું પ્રમાણ ૨૪ જેટલું હતું. આ સમયે ધ્વન્યાક્ષરમાંથી મૂળાક્ષરોને વિકાસ થયો હશે. આ ૨૦ માંથી ૧૫ જેટલી સંજ્ઞાઓ તત્કાલીન સેમેટિક' સંજ્ઞાઓને મળતી આવે છે; (૧૬) લખાણની દિશા મહદંશે જમણીથી ડાબી બાજ, બે પંક્તિના લેખમાં બીજી પંક્તિ માટે ભાગે એ જ રીતે, ક્યારેક ડાબીથી જમણી બાજુ, (૧૭) ઉત્તર હરપ્પીય સંજ્ઞાઓ તત્કાલીન સેમેટિક કુળની અન્ય સંજ્ઞાઓને મળતી આવે છે એને મતલબ એ કે વ્યાપાર-વાણિજ્યના સંબંધોને કારણે વનિમૂલ્યમાં પણ સમાનતા અને ઉચ્ચારણભેદે વિભિનતા આવી હોય. હરપ્પીય ધ્વનિતત્વ આથી જ હિટ્ટાઈટ વનિતત્વને મળતું આવે છે. આથી, દરેક વ્યક્તિગત સંજ્ઞાને “ શબ્દ” કે “ એક સ્વરી શબ્દ' માનવો જરૂરી નથી. એને બદલે દરેક સંજ્ઞાનું નિમૂલ્ય નકકી કરવું જરૂરી છે. સેમેટિક ઉપરથી ઉત્તર હરપીય અને એના ઉપરથી પૂર્વ હરપ્પીય સમયની સંજ્ઞાઓનું ધ્વનિમૂલ્ય નક્કી થઈ શકે છે. સંશોધનને અંતે જણાયું છે કે પૂર્વ હરપીય ધ્વનિતંત્ર હિરાઈટ ભાષાના વનિતંત્ર જેડ કેટલીક બાબતમાં મળતું આવે છે. દા.ત. ” આકારની સંજ્ઞામાંથી ૧૫ વ્યંજન અને પાંચ સ્વર ઊતરી આવ્યાનું માનીને લેથલ, હરપ્પા અને મેહન-જો-દડોની ૨૫ મુદ્રાઓનું વાચન થઈ શકયું છે, જે પૈકીના કેટલાક અભિલેખમાં વ્યક્તિવાચક નામ અમે કેટલાકમાં પદવીઓ લખેલી છે; (૧૮) સેમેટિક કુળની ન હોય એવી માનવાકૃતિ અને સ્થાતિ જેવી સંજ્ઞાઓને લાગતાં સ્વર-માત્રા ચિહ્નો જોઈને એને અનુક્રમે “ર” અને “લ” ધ્વનિમૂલ્ય આપેલું છે; (૧૯) અમુક ચોક્કસ વનિઓ માટે શરૂઆતમાં એકથી વિશેષ સંજ્ઞાઓ વપરાતી હતી, જે પાછળથી ઓછી થઈ ગઈ છે; (૨૦) રશિયન વિદ્વાન પ્રા. કોરોવ (Knorozov) કોમ્યુટરની મદદ લઈને એવા તારણ ઉપર આવ્યા છે કે જે સંજ્ઞાઓ વામજાતે વારંવાર આવે છે તે વિભક્તિ–પ્રત્યય કે જતિદર્શક હશે અને એ જેને લાગે છે તે મૂળ રૂપ હશે. આ સામે રાવની દલીલ છે કે કોઈ સંજ્ઞાના પુનરાવર્તન અને વાક્યમાંનાં એના સ્થાનને માર્ગદર્શક સિદ્ધાંત બનાવવો હોય તો એવી ત્રણ સંજ્ઞા છે જેને રશિયન વિદ્વાનોએ ધ્યાનમાં લીધી નથી કારણકે, એ ત્રણે સંજ્ઞા વાકયની શરૂઆત આવતી હઈ એ વિદ્વાનોની એવી (મીડી) માન્યતાને ખેતી કરાવે છે કે સિધુ ભાષા દ્રાવિડીય કુલની હતી, જેમાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90