Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ “લોકવિરુદ્ધનો ત્યાગ કરવો” એ આગમ વચનથી લોકવિરુદ્ધનો ત્યાગ કરનાર વિદ્વાનોએ સ્વીકારવો જોઈએ. તિથિનો ક્ષય એટલે નાશ નહિ ને વૃદ્ધિ એટલે બે તિથિ નહિ ? લૌકિક પંચાંગમાં તિથિનો ક્ષય પણ આવે અને વૃદ્ધિ પણ આવે. પરંતુ ‘તિથિનો ક્ષય એટલે નાશ’ અને ‘તિથિની વૃદ્ધિ એટલે બે તિથિ' એ માન્યતા ભૂલ ભરેલી છે. જ્યારે એ જ વાત તમારા મનમાં ઘર કરી ગયેલી છે. પરંતુ ‘ક્ષય એટલે નાશ નહિ' અને વૃદ્ધિ એટલે બે નહિ પણ જે તિથિ સૂર્યોદય વખતે ન હોય તે ક્ષીણ/ક્ષય તિથિ અને જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે એ વૃદ્ધિ તિથિ ગણાય. ઉદાહરણ તરીકે - ધારો કે રવિવારે સૂર્યોદય વખતે બારસ છે. પછી અડધી કે એક ઘડી પછી તેરસ શરૂ થઈ, પણ એ તેરસ સોમવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ ગઈ અને ચૌદશ શરૂ થઈ ગઈ એટલે તેરસ રવિ અને સોમ એ બે દિવસમાંથી એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શી નથી. તેથી એ ક્ષીણતિથિ/ક્ષયતિથિ ગણાય. આથી એ હકીકત સ્પષ્ટ છે કે, “ક્ષીણ તિથિ એટલે નાશ અને વૃદ્ધિ તિથિ એટલે બે’ એમ કોણ બોલે ? અણસમજુ ને ? માટે જ પક્ષમાં દિવસ ૧૪, ૧૫ કે ૧૬ આવે પણ તિથિ તો પંદર જ હોય, એટલે પાક્ષિક ખામણામાં દર પખિના દિવસે “પરસ રાëવિયા' એ પ્રમાણે જ પાઠ બોલાય છે. ચોમાસામાં તિથિના ક્ષયના કારણે ૧૧૮ દિવસ પણ હોય, પરંતુ તિથિ તો ૧૨૦ જ આવે. વર્ષના તિથિના ક્ષયના કારણે ૩૫૪ દિવસ કે માસની વૃદ્ધિ હોય તો ૩૮૪ દિવસ પણ હોય છતાં તિથિ તો ૩૬૦ જ આવે. આ વર્ષમાં (૨૦૨૦ની સાલમાં) વૈશાખ બે આવ્યા, પણ અધિક વૈશાખની ગણતરી ન કરી. વૈશાખ સુદ-૩ બંને વૈશાખમાં આવી પણ વરસીતપનાં પારણાં બીજા વૈશાખ સુદ-૩નાં જ થયાં. ૮ અવર- - - - - - મારી - રાપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116