Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 111
________________ જતી આશદતા માટે જ જતો મુક્તિમાર્ગની આરાધના કરવા માટે સત્યને સમજવું પડે. શક્તિ-સમાજસંયોગ મુજબ અન્ય જિજ્ઞાસુને સત્ય સમજાવવું પણ પડે. તમે સમજો નહિ, સમજાવવાની ત્રેવડ કેળવો નહિ અને એકલો અવાજ ઊંચો કરીને કે બાંધો ચડાવીને બીજાને દબાવી દો એ ચાલે નહિ. વગર સમયે ત્યાં રાડો પાડવી એ પણ ખોટું છે અને વગર સમયે જ્યાં ત્યાં હામાં હા પાડવી એ પણ ખોટું છે. ગમે ત્યાં ગમે તેની સામે ભીડાઈ પડવું એ પણ ખોટું છે અને ગમે ત્યાં ગમે તેને ભેટી પડવું એ પણ ખોટું છે. બન્ને વસ્તુ ખોટી છે. આપણે અવાજ પણ ઊંચો કરવાની જરૂર નથી, બાંયો ચડાવવાની પણ જરૂર નથી, જરૂર છે માત્ર પોતે બરાબર સમજવાની અને શાંતિથી બીજાને સમજાવવાની. એના માટે ઘણો વિવેક જોઈશે. માથું ટાઢું બોળ કરીને કામ કરવું પડશે. કોઈ તમને મુંઝવવા માગે તો ન મુંઝાવા માટે શું કરવું તે પણ સમજવું પડશે. આપણે અહીં પક્ષાપક્ષીના ધોરણે કે કાષાયિક ભાવોને પોષીને કોઈ વાત વિચારવી નથી. ભવસાગર તરવો છે. તરવા માગે એને તારવા છે, તરવાનું આલંબન પૂરું પાડવું છે. એ ભાવનાથી જ વાત કરી રહ્યો છું. સત્ય સમજાયા બાદ તો સત્યનો જ પક્ષપાત કરવાનો. તેના જ પક્ષમાં અડીખમ ઉભા રહેવાનું. સત્યને સમજવા માટે – ૧ – શુશ્રષા – સાંભળવાની ઇચ્છા, ૨ – શ્રવણ – સાંભળવું, ૩ - ગ્રહણ – સ્વીકાર કરવો, ૪ – ધારણા – મનમાં અવધારી રાખવું, - ઉહ – સમજવા માટે અવનવા પ્રશ્નો ઉભા કરવા, ૬ – અપોહ – પ્રશ્નનું સમાધાન મેળવવું, ૭ – તત્વનિર્ણય – નિ:શંક બનવું અને ૮ – તત્ત્વનો અભિનિવેશ – તત્વનો આગ્રહ રાખવો. આ આઠ બાબતો કરવી પડે. આ રીતે મેળવેલા સત્યની પક્કડ એવી તો ૧ ... - - - - -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116