Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 114
________________ કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે મોટી તિથિ બે હોઈ શકે ? બે દિવસ ચૌદસ બોલીએ અને એમાં પહેલા દિવસે લિલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દોષ ન લાગે ? આવું પૂછનારે સમજવું જોઈએ કે, બે ચૈત્ર, બે આસો, બે ભાદરવા આવે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે અને એમ કરીને બીજા ચૈત્રમાં, બીજા આસોમાં ઓળી વગેરેની આરાધના કરનાર પહેલા ચૈત્ર-આસોમાં કશું કરતા નથી. બે ભાદરવા વખતે પહેલા ભાદરવામાં પર્યુષણની કોઈ આરાધના કરતા નથી. તે છતાં જેમ ત્યાં કશું અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મોટી તિથિઓ બે આવતી હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી. આ અંગે શાસ્ત્રીય કોઈ વિધાન છે ? એમ કેટલાક લોકો પૂછતા હોય છે, તેમણે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે - કલ્પસૂત્રના સામાચારી નામના વ્યાખ્યાનની દરેક વૃત્તિઓમાં આ અંગેની સ્પષ્ટ વિચારણા કરાઈ છે. ત્યાં પ્રશ્ન કરાયો છે કે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલા ભાદરવા માસમાં કરવી કે બીજા ભાદરવા માસમાં કરવી ? એના જવાબમાં લખ્યું છે કે જ્યારે બે ચૌદસ આવે છે ત્યારે પષ્મીની આરાધના પહેલી ચૌદસે ન કરતાં બીજી ચૌદસે કરાય છે, તેમ જ્યારે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલા ભાદરવા મહિનામાં ન કરતાં બીજા ભાદરવામાં કરવી જોઈએ. શ્રી કલ્પસૂત્રની દરેક વૃત્તિઓમાં આવતી આ પ્રસ્નોત્તરી ઉપરથી ખ્યાલ આવશે કે પહેલાં પણ બે ચૌદસો આવતી હતી અને જ્યારે જ્યારે બે ચૌદસો આવતી ત્યારે તેના બદલે બે તેરસ નહોતી કરાતી. પણ બે ચૌદસને યથાવત્ માન્ય રાખી પહેલી ચૌદસે પકખીની આરાધનાદિ ન કરતાં બીજી ચૌદસે કરાતી હતી. ---પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - જન- અમલમ-- અ૦િ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 112 113 114 115 116