Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 112
________________ મજબૂત હોય કે દેવતાઓ આવે તો પણ એને ચલાયમાન ન કરી શકે. આગમમાં તુંગીયા નગરના શ્રાવકોનું વર્ણન આવે છે. એ શ્રાવકો કેવા હતા ? ‘લદ્ધા, ગહીઅમ્ર, પુચ્છિયઢ્ઢા, વિણિચ્છિઅટ્ઠ, અહિગય-જીવાજીવાઈપયત્થા, દેવેહિંવિ અચાલણિજ્જા....’ સત્યને મેળવનારા, ગ્રહણ કરનારા, શંકા પડે તો પૂછનારા, અર્થનો વિનિશ્ચય કરનારા, જીવ-અજીવાદિ પદાર્થને જાણનારા, દેવો વડે પણ ચલાયમાન ન થનારા... જાણો છો ? સત્યના આગ્રહી ન બનાય ત્યાં સુધી સત્યની આરાધના ન થઈ શકે. આગ્રહનો મતલબ જડપણું નથી. પણ સત્યનો અસ્થિમજ્જા પક્ષપાત છે. એને તત્ત્વાભિનિવેશ કહ્યો છે. એટલે તત્ત્વનો આગ્રહ. આવો તત્ત્વાભિનિવેશ પામી, સત્યની આરાધના કરી-કરાવી મોક્ષપદના ભોક્તા બનીએ એજ અભિલાષા. ૦ ૦ ૦ -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ Jain Education International For Private & Personal Use Only ૦૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116