Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 93
________________ એટલે સમકિતનો નાશ. ૩ વિરાધક ૪ આ ચાર દૂષણ થાય છે. - उदयंमि जा तिहि सा पमाणमिअरि (री)इ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ।।१।। અને શ્રી હરિપ્રશ્નમાં પણ કહ્યું છે કે “જો પર્યુષણના પાછળના ચાર દિવસમાં તિથિનો ક્ષય આવે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચવું. જો વૃદ્ધિ આવે તો એકમથી વાંચવું.” એથી પણ માલૂમ થાય છે કે જેમ તિથિની હાનિ વૃદ્ધિ આવે તે તેમજ કરવી એટલે આ વખતે પર્યુષણમાં એકમ બીજ ભેગી કરવી. વદ-૧૧ શનિવારે પ્રારંભ વદ-૧૪ મંગળવારે પાખી તથા કલ્પસૂત્રની વાંચવા પણ સોમવારે પાખી કરવી નહિ. ૦)) અમાવાસ્યાએ જન્મોત્સવ, શુદ-૪, શનિવારે સંવત્સરી કરવી. કોઈ કહે છે કે વડા કલ્પની છઠ્ઠની તપસ્યા તૂટે તથા સંવત્સરી પૂર્વે પાંચમેં દિવસે પાખી કરવી.માટે પજુસણના પાછલા ચાર દિવસમાં તિથિની હાનિ વદ્ધિ આવે તો બારસ-તેરસ ભેગા કરીએ છીએ અથવા બે તેરસ કરીએ છીએ. એનો ઉત્તર એ કે આ વાત કોઈ શાસ્ત્રમાં લખી નથી. અથવા (વિ.સં.૧૯૨૪)૨૪ની સાલમાં ૨ (બીજ) તૂટેલી. (વિ.સં.૧૯૩૦) તીસની સાલમાં બે ચોથ હતી. તે વખતે શ્રી અમદાવાદ વગેરે પ્રાયઃ સર્વ શહેરમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ બારસ-તેરસ ભેગી અથવા બે તેરસ કરી નથી. કોઈ ગચ્છમાં, મતમાં, દર્શનમાં, શાસ્ત્રમાં એવું નથી કે સુદની તિથિ વદમાં ને વદની તિથિ સુદમાં હાનિ વૃદ્ધિ કરવી કિં બહુના આત્માર્થીએ તો હઠ છોડી શાસ્ત્રોક્ત ધર્મકરણી કરી આરાધક બનવું જોઈએ અને સંસાર સમુદ્રથી તરવું સુગુરુને આધીન છે, ડૂબવું કુગુરુને આધીન છે. માટે સુગુરુ કુગુરુનું લક્ષણ. યદુ महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।।१।। सर्वाभिलाषिणः सर्वभोजिन: सपरिग्रहा: । अब्रह्मचारिणो मिथ्योपदेशका गुरवो न तु ।।२।। ૮૪ - - - - - - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116