Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 67
________________ ભાવાર્થ :- અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચક્ખાણ વખતે તિથિ ઘડી બે ઘડી હોય છે. તેટલું જ આરાધન થાય છે. પછી નોમ આદિ થવાથી સંપૂર્ણ તિથિની તો વિરાધના થઈ, પૂર્વના દિવસે હોવાથીહવે જો પચ્ચક્ખાણનો સમય જોઈએ તો તો પૂર્વ દિવસે બંને છે. પચ્ચક્ખાણનો સમય અને સમગ્ર દિવસ હોવાથી સુંદર આરાધન થાય. એ પ્રશ્ન. હવે ઉત્તર :- ‘ક્ષયમાં પૂર્વ તિથિ કરવી જોઈએ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ક૨વી જોઈએ,' એવા શ્રી ઉમાસ્વાતિજી વાચકના પ્રામાણ્યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ આગલી એટલે બીજી જ તિથિ પ્રમાણભૂત છે. "एकादशीवृद्धी श्रीहीरविजयसूरीणां निर्व्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रनोऽत्रोत्तरं- औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरि-निर्व्वाणपौषधादि विधेयमिति । " (ત્રીનો છાસ: પૃ. ૮૭) ભાવાર્થ :- અગ્યારસની વૃદ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિ મહારાજનો નિર્વાણ મહિમા, પૌષધ, ઉપવાસ વગેરે કૃત્ય, પૂર્વની કે પછીની અગ્યારસે કરવું ? એ પ્રશ્ન. હવે ઉત્તર :- ઔદયિક અર્થાત્ બીજી અગીઆરસે શ્રી હીરવિજયસૂરિ મહારાજનો નિર્વાણ પૌષધ કરવો. रोहिण्युपवासः पञ्चम्याद्युपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नोऽत्रोत्तरम् - कारणे सति मिलन्त्यां तिथौ क्रियते चेति प्रवृत्तिर्दृश्यते, कारणं विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ।।४७७।। (ત્રીનો પહાસ પૃષ્ઠ-૬૮) ભાવાર્થ :- રોહિણીનો ઉપવાસ અને પંચમી આદિનો ઉપવાસ કારણ હોય તો જે તિથિમાં તે મળી જતી હોય તેમાં કરાય કે નહિ? એ પ્રશ્ન. હવે ઉત્તર :- કારણ હોય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદયતિથિમાં જ કરાય એમ જાણવું. Jain Education International પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116