Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 69
________________ त्रयोदश्यां द्वयोरपि तिथ्योः समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचकः स सूर्योदय: सम्पन्न एव । ભાવાર્થ :- તેરસે બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસનો સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનારો થયો જ છે. (અર્થાત્ ચૌદશના ક્ષયે તેરસે તેરસ અને ચૌદશ ભેગાં થાય છે.) (૮) શ્રી કલ્પદીપિકા : કર્તા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિવરના શિષ્ય પંડિતપ્રવર શ્રી જયવિજયજી ગણિવર રચના વિ. સંવત-૧૬૭૭ પ્રકાશક પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, વિ. સંવત-૧૯૯૧ अत एवास्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवर्द्धितप्रथमतिथिरिव तदीयकृत्येष्विति । तथाहि - विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽङ्गीकार्या दिनगणनायां त्वस्याः अन्यासां च वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दश्यादितिथौ पञ्चदशैवेति નોધ્યું। તાનાઽષિ (નવમ ક્ષળે રૃ. ૪) Go X - - ભાવાર્થ ઃ એટલા માટે અન્ય વૃદ્ધિ પામેલો માસ જવા દો પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણના કાર્યો માટે યોગ્ય નથી જ. તેના કૃત્યો માટે, વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિની જેમ. તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદશના નિયત છે, તે ચૌદશની પણ વૃદ્ધિ થાય ત્યારે પ્રથમ ચૌદશને છોડી દઈ બીજી ચૌદશ ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે બીજી તિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે ચૌદશ આદિ તિથિનો ક્ષય હોય તો પંદર જ દિવસ જાણવા. તેમ અહીં પણ. Jain Education International પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116