________________
“આ સંબંધે શ્રી હીર પ્રશ્નના ચોથા પ્રકાશમાં પણ જો પંચમી તિથિનો ક્ષય હોય તો તે તપ ક્યારે કરવું?' એ પ્રશ્નનો ઉત્તર પૂર્વની તિથિએ કરવું એવો આપ્યો છે. यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते । તે ઉપરથી ચોથને દિવસે પાંચમનું તપ કરવાનું પ્રાપ્ત થાય છે.” “આવો પ્રસંગ વિ. સં. ૧૯૫૨ની સાલમાં બન્યો હતો. તે વખતે ભાદરવા સુદ-૫નો ક્ષય હોવાથી પર્યુષણ પર્વ સંબંધમાં વિચાર થયેલ છે. આ સંબંધમાં લુહારની પોળના શ્રાવક શાહ છગનલાલ જેચંદ ઉપર ભાવનગરથી બહુશ્રુત પં. શ્રી ગંભીરવિજયજી મહારાજના બે પત્રો તથા પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજ ઉપરથી પૂજ્ય રાજેન્દ્રસૂરિનો પત્ર એમ ત્રણ પત્રો લુહારની પોળના પંચાસજી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી મળ્યા છે, તેમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય. ત્યારે સંવત્સરી ક્યારે કરવી?તે સંબંધે ઉહાપોહ કરીને ભાદરવા સુદી ચોથને શુક્રવારે સંવત્સરી કરવાનો અભિપ્રાય આપ્યો છે. તે સિવાય પંચાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી હસ્તલિખિત પાનું મળ્યું છે, તેમાં વિ. સંવ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય હતો ત્યારે બધા સાધુઓની સંમતિ મેળવી ભાદરવા સુદી ચોથને શુક્રવારે સંવત્સરી કરવાનો વિચાર બિણિત કર્યો છે.” આ બધી હકીકતો ઉપરથી કઈ વાત શાસ્ત્રસંમત છે? તે તમે સમજી શકો છો.
સંવ-૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદ પાંચમના ક્ષયના કારણે વિવાદ હતો. સંવત-૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ અંગે વિવાદ ઉત્પન્ન થયો. શ્રી સાગરજી મહારાજે પણ લખેલી શાસ્ત્રીય વાતો ?
આ સમયના ગાળામાં શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાલીતાણામાં હતા. ત્યાં તેઓશ્રી મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરનો રચેલો “શ્રી પ્રવચન પરીક્ષા' નામનો ગ્રંથ છપાવી રહ્યા હતા. ૨૪-ક-નવાર - "સમ્પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org