Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 411
________________ 402 હ' 8 “ભાતૃઘાતક?” તે વાતને સર્વથા અન્યથા કરવા માટે પ્રયત્ન કરું એમ વિચાર કરતો ઉઠીને અને શ્રી નેમિનાથજીને નમસ્કાર કરીને બાણેના બે માથાઓને ધારણ કરી ધનુષધારી થઈને કેશવની રક્ષા માટે વનવાસને આશ્રય કર્યો. તે દ્વૈપાયન પણ લોકેના મુખથી તે પ્રભુના વચનને સાંભળીને દ્વારકા અને યાદવેના રક્ષણ માટે વનવાસી થયા. કૃષ્ણ પણ સ્વામીને વંદન કરીને ચિંતાતુર દ્વારકામાં આવ્યો. આના મૂળમાં ખરેખર મદિરા અનર્થકારી થશે. અને એ હેતુથી મદિરાને નિષેધ કર્યો. કેશવની આજ્ઞાથી પાસે રહેલા ગિરનાર પર્વતના કદમ્બવનમાં કાદમ્બરી ગુફાના શિલાકુંડમાં પૂર્વકૃત પહેલાંની બનાવેલી મદિરાને સર્વ દ્વારકાના લેકેએ ઘર ઘર ધાયેલા પાણીની જેમ લઈ–લઈને ફેકી. હવે બલદેવને સારથી બાંધવસિદ્ધાથે કહ્યું. “આ નગરી અને યાદવકુલની આવી દુર્દશા કેમ જઈશ ? તેથી મને રજા આપ જેમ હું સ્વામીની પાસે હમણાં જ વ્રત ગ્રહણ કરું. હું ખરેખર કાલક્ષેપ સહન નહી કરુ. તે પછી અશ્રુ નાંખતા બલદેવે પણ કહ્યું. હે ભાઈ! આ યુક્ત કહ્યું છે. હે અનઘ ! રજા આપવા માટે અસમર્થ પણ મારા વડે તને રજા અપાય છે. પરંતુ તપ તપીને મૃત્યુ પામે છતે દેવગતિમાં ગયે આ ભાઈને સ્નેહને યાદ કરીને વિપત્તિમાં રહેલા મને પ્રતિબંધ આપજે. તે પછી સિદ્ધાર્થ હા એમ કહીને સ્વામી પાસે દીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441