Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 28
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૩ અવતરણિકાર્ય : ખરાબ રીતે પણ ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી કેટલાકને દેવલોકનો લાભ થાય છે. એથી અહીં=ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણામાં, અસુંદરતા કેમ છે ? કૃત્યત્ર=એ પ્રકારની આશંકામાં આદુ=કહે છે • ‘દુવૃંદીતાપિ’ - અહીં ‘પ' થી એ કહેવું છે કે સુંદર રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી તો દેવલોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શ્રમણપણાથી પણ કેટલાકને દેવલોકની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ: પૂર્વશ્લોક-૨માં કહ્યું કે વ્રતોનો અસમ્યગ્ અંગીકાર ખરાબ રીતે ગ્રહણ કરાયેલા શસ્ત્રાદિ જેવો છે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા પણ સાધુપણાથી કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સાધુપણામાં અસુંદરતા કેમ છે ? એથી કહે છે – શ્લોક ઃ ग्रैवेयकाप्तिरप्यस्माद्विपाकविरसाऽहिता । मुक्यद्वेषश्च तत्रापि कारणं न क्रियैव हि ।। ३ ।। અન્વયાર્થ : - ܀ છ અસ્મા=આનાથી=વ્રતના દુગ્રહથી વિપાવિરસા વેયાપ્તિપિ=વિપાકથી વિરસ ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અદિતા=અનિષ્ટ છે તત્રાપિ ==અને ત્યાં પણ=દેવલોકની પ્રાપ્તિમાં પણ મુત્ત્વદ્વેષઃ=મુક્તિનો અદ્વેષ નં=કારણ છે êિવ દિ ન=ક્રિયા જ નહીં=ક્રિયા જ કારણ નથી. ।।૩।। શ્લોકાર્થ : આનાથી=વ્રતના દુગ્રહથી, વિપાકથી વિરસ એવી ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અનિષ્ટ છે, અને ત્યાં પણ=દેવલોકની પ્રાપ્તિમાં પણ, મુક્તિનો અદ્વેષ કારણ છે, ક્રિયા જ નહીં અર્થાત્ ક્રિયા જ કારણ નથી. 11311 ‘વેયાપ્તિવિ’ - અહીં ‘પ’ થી એ કહેવું છે કે વ્રતના દુગ્રહથી નરકની પ્રાપ્તિ તો અનિષ્ટ છે, પરંતુ ત્રૈવેયકની પ્રાપ્તિ પણ અનિષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104