Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 72
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાવિંશિકા/શ્લોક-૧૮-૧૯ પ૧ આનાથી એ ફલિત થયું કે ઇષ મુક્તિરાગથી પ્રયુક્ત અથવા મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન શાસ્ત્રકારો સ્વીકારે છે, અને તેમ સ્વીકારવામાં આવે તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ ઊભી રહે છે, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. II૧૮ાા અવતરણિકા : શ્લોક-૧૮માં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે મુક્તિઅદ્વેષમાં કોઈ વિશેષ નથી, માટે અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિનું નિવારણ થશે નહીં; અને ઈષદ્ રાગથી વિશિષ્ટ અદ્વેષ સ્વીકારીએ તો અભવ્યતા અનુષ્ઠાનમાં અતિવ્યાતિનું નિવારણ થાય, પરંતુ મુક્તિઅદ્વેષને તહેતુઅનુષ્ઠાનનું કારણ સ્વીકારી શકાય નહીં; અને શાસ્ત્રકારોએ મુક્તિઅદ્વેષ અથવા માન્ મુક્તિરાગને તહેતુઅનુષ્ઠાનનું કારણ સ્વીકારેલ છે, તેથી મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ દૂર થાય નહીં. તે અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “મુક્તિના અદ્વેષમાં વિશેષ નહીં હોવા છતાં પ્રતિયોગીકૃત વિશેષની પ્રાપ્તિ થશે અર્થાત્ અદ્વેષ એટલે દ્વેષાભાવ અને દ્વેષાભાવનો પ્રતિયોગી દ્વેષ છે, અને તે દ્વેષતા ભેદથી અદ્વેષનો ભેદ સ્વીકારીને અભવ્યતા અનુષ્ઠાનવિશેષ કરતાં ચરમાવર્તવાળા જીવના અનુષ્ઠાનવિશેષમાં મુક્તિનો અદ્વેષ જુદા પ્રકારનો છે, તેમ સ્વીકારીશું તો અતિવ્યાપ્તિ આવશે નહીં." એ પ્રકારે ગ્રંથકાર તરફથી કોઈ કહે તે બતાવીને પૂર્વપક્ષી નિરાકરણ કરે છે – શ્લોક : उत्कटानुत्कटत्वाभ्यां प्रतियोगिकृतोऽस्त्वयम् । नैवं सत्यामुपेक्षायां द्वेषमात्रवियोगतः ।।१९।। અન્વયાર્થ: ફટાનુટત્વમ્યાંઉત્કટ-અનુત્કટ દ્વારા પ્રતિયોનિવૃત્ત =પ્રતિયોગીથી કરાયેલો યમલ્લુ આ થાઓ=મુક્તિઅષનો ભેદ થાઓ=અભવ્યતા અદ્વેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104