Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 89
________________ ૬૮ મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/બ્લોક-૨૩ गीताथैः । यदाह - “मुद्धाण हियट्ठया सम्मं” । न ह्येवमत्र विषादित्वप्रसङ्गो न वा तद्धेतुत्वभङ्गः, फलापेक्षाया बाध्यत्वात्, इत्थमेव मार्गानुसरणोपपत्तेः ।।२३।। ટીકાર્ચ - તત્તનાથનાં ..... માનસરપપપ . આથી જ સૌભાગ્યાદિ ફળની વાંછાથી સદનુષ્ઠાન કરતા હોય તોપણ મુક્તિઅદ્વેષ હોતે છતે બાધ્યફળની અપેક્ષામાં બુદ્ધિ માર્ગાનુસારી થાય છે આથી જ, તે તે ફળના અર્થીઓને= સૌભાગ્યાદિ ફળની ઈચ્છાવાળાઓને, રોહિણી આદિ તપરૂપ તે તે તપ, તત્રમાં શાસ્ત્રમાં, બતાવાયેલો છે; અને આથી જગતે તે ફળના અર્થીઓનું તે તે તપ શાસ્ત્રમાં બતાવાયેલું છે આથી જ, મુગ્ધોને માર્ગપ્રવેશ માટે ગીતાર્થો વડે અપાય પણ છે. જે કારણથી કહે છે “મુગ્ધોના સમ્યમ્ હિત માટે માર્ગપ્રવેશ કરાવવા માટે અપાયેલું રોહિણી આદિ તપ મુગ્ધોના સમ્યક્ હિત માટે છે." આ રીતે=સૌભાગ્યાદિ ફળની વાંછાથી ગીતાર્થો રોહિણી આદિ તપ મુગ્ધોને આપે એ રીતે, અહીંત્રમુગ્ધોના અનુષ્ઠાતમાં, વિષાદિત્વનોઃ વિષાનુષ્ઠાન આદિનો, પ્રસંગ નથી જ, અને તહેતુત્વનો ભંગ નથી= સૌભાગ્યાદિની વાંછાથી કરાયેલા રોહિણી આદિ તપમાં તહેતુપણાનો ભંગ નથી; કેમ કે ફળની અપેક્ષાનું બાધ્યપણું છે સૌભાગ્યાદિ ફળની વાંછાથી કરાતા રોહિણી આદિ તપમાં સૌભાગ્યાદિની વાંછારૂપ ફળની ઇચ્છાનું બાધ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે જો ફળની અપેક્ષાનું બાધ્યપણું હોય તો ગીતાર્થો ઉપદેશ દ્વારા તે ફળની ઇચ્છાને નિવર્તન કરાવીને મુક્તિના આશયથી તેઓનું તપ કેમ કરાવતા નથી ? અને સૌભાગ્યાદિની વાંછાથી તપ કેમ કરાવે છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે – આ રીતે જ=સૌભાગ્યાદિ ફળની વાંછાથી રોહિણી આદિ તે તે તપ કરીને સૌભાગ્યાદિ ફળની પ્રાપ્તિ થાય છે એ રીતે જ, માર્ગના અનુસરણની ઉપપતિ છે=મોક્ષમાર્ગના કારણભૂત એવા વિષયાભ્યાસનું રોહિણી આદિના તપકાળમાં સેવન હોવાથી મોક્ષમાર્ગના અનુસરણની ઉપપત્તિ છે. li૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104