Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 77
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦ સ્વીકારીએ તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવે, તે તારી વાત સાચી છે; પરંતુ આ બંનેમાંથી=મુક્તિઅદ્વેષ અને મનામ્ મુક્તિરાગ, એ બંનેમાંથી, અન્યતરથી=કોઈ એકથી, અજિત=જનિત, એવો ક્રિયારાગ= સદનુષ્ઠાનનો રાગ, ખરેખર ! તદ્વેતુઅનુષ્ઠાનનું બીજ છે, તે કારણથી કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી=અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં તદ્ભુતુઅનુષ્ઠાનના લક્ષણનો કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી. ૫૬ અહીં પ્રશ્ન થાય કે મુક્તિઅદ્વેષથી જનિત ક્રિયા૨ાગ તદ્ભુતુઅનુષ્ઠાનનું બીજ હોય તો અભવ્યોને પણ મુક્તિઅદ્વેષ થાય છે ત્યારે, તદ્ભુતુઅનુષ્ઠાનનું બીજ એવા ક્રિયારાગની પ્રાપ્તિ થશે. માટે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે અભવ્યોને પણ સ્વર્ગની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ હોવા છતાં પણ તેનુંઅભવ્યના મુક્તિઅદ્વેષનું, સદનુષ્ઠાનના રાગનું અપ્રયોજકપણું છે. અહીં પ્રશ્ન થાય કે અભવ્યનો મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનો અપ્રયોજક કેમ છે ? તેમાં હેતુ કહે છે બાઘ્યલઅપેક્ષા સહષ્કૃત એવા તેનું=મુક્તિઅદ્વેષનું, સદનુષ્ઠાનના રાગનું અનુબંધીપણું છે=સદનુષ્ઠાનના રાગનું ફળવાળાપણું છે. ૨૦ના * ટીકામાં “તયોર્ભુવન્ત્યદ્વેષરાવોઃ” ના સ્થાને આ પાઠ “તયોમુત્ત્વદ્વેષમના મુક્તિરાયો:” જોઈએ. * ‘સમવ્યાનાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ચરમાવર્તવાળા જીવોને તો મુક્તિઅદ્વેષ છે જ, પરંતુ અભવ્યોને પણ સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ છે. ટૂંક 'સ્વર્યાપ્રાપ્તિ તુમુદ્વેષસત્ત્વપ’ અહીં ‘પિ' થી એ કહેવું છે કે સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ ન હોય તો તો સદનુષ્ઠાનનો રાગ ન થાય, પરંતુ સ્વર્ગપ્રાપ્તિનું કારણ એવો મુક્તિઅદ્વેષ હોવા છતાં પણ તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનના રાગનો અપ્રયોજક છે. Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104